Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૧૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા તમામ કુતર્કોની શાસ્ત્ર અને પરંપરા દ્વારા વિસ્તૃત સમાલોચના આગળ કરવામાં આવશે.
+ આથી ફલિત થાય છે કે - બોલીથી આદેશો આપવા એ શાસ્ત્રીય
છે.
- - બોલી-ઉછામણી દ્વારા દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી એ શાસ્ત્રવિહિત માર્ગ છે.
ઝબોલીની શરૂઆત સંઘમાં કુસંપ નિવારવા કે જિનાલયના વહીવટી ખર્ચને પહોંચી વળવા માટે થઈ નથી, પરંતુ દેવદ્રવ્યની વૃદ્ધિ માટે કરવામાં આવી છે અને એ દેવદ્રવ્યનો સદુપયોગ જીર્ણોદ્ધાર અને નૂતન જિનમંદિર આદિમાં કરવાનું શાસ્ત્રાનુસારી પરંપરા જણાવે છે.
વળી, આ વિષયમાં થયેલા પૂ. આચાર્ય ભગવંતો આદિના પત્રવ્યવહારો જોવાથી એ વાત સ્પષ્ટ બને છે. એ પત્રવ્યવહારો પૂ.આ.ભ.શ્રી વિ. કનકચંદ્રસૂરીશ્વરજી મહારાજા દ્વારા સંપાદિત “સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્ય જ છે.” નામની પુસ્તિકામાં સંગ્રહિત કરવામાં આવ્યા છે. તેમાંથી અમુક પત્રોનું અહીં પરિશિષ્ટ-૨માં સંકલન કરવામાં આવ્યું છે. પ્રભુપૂજા સ્વદ્રવ્યથી જઃ
– વિ.સં. ૧૯૯૦ના શ્રમણ સંમેલને શ્રાવકોને પ્રભુપૂજા સ્વદ્રવ્યથી કરવાનું જણાવ્યું છે. ત્યાં “જ” કાર મૂકીને “સ્વદ્રવ્યથી જ જિનપૂજાના માર્ગ ઉપર ભાર મૂક્યો છે અને દેવદ્રવ્યથી જિનપૂજા કરવાનો નિષેધ કર્યો છે તથા શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોમાં જણાવેલી જિનપૂજાની વિધિનો માર્ગ જ સ્પષ્ટ કર્યો છે.
એ ઠરાવમાં માત્ર સામગ્રીનો અભાવ હોય તેવા અશક્ત સ્થળોએ જ ભગવાન અપૂજન રહે તે માટે દેવદ્રવ્યથી પૂજા કરવાનું જણાવ્યું છે. તેમાં ભગવાન અપૂજ ન રહેવા જોઈએ એ અગત્યની શાસ્ત્રસિદ્ધ વાત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. શક્તિ-સામગ્રીના અભાવમાં એવી સ્થિતિનું નિર્માણ