Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૮ : ગુરુદ્રવ્ય અંગે વિચારણા
૨૬૩
પૂ.આ.ભ.શ્રી.વિ.જંબૂસૂરીશ્વરજી મ.સા.ની સંમતિ છે, તે વાચકોની જાણ માટે. તેમાં જણાવેલ “પણ આ પ્રકારની ગુરુપૂજાનું દ્રવ્ય દેવદ્રવ્ય તરીકે ગણાય એટલે તેનું ઉત્પન્ન દ્રવ્ય સાધુઓના ઉપયોગમાં આવી શકે નહિ.'' આ વિધાનો ખૂબ સૂચક છે. એ વિધાનકર્તા - પ્રેરક અને સંશોધક મહાપુરુષોને તેવા પ્રકારના ગુરુદ્રવ્યના ઉપભોગમાં પ્રાયશ્ચિત્ત શું આવે ? એમ પૂછવામાં આવે તો તેઓ શું જવાબ આપે ? એ વાચકો સ્વયં વિચારે અને એ સર્વે આલોચનાચાર્ય મહાપુરુષો શ્રાદ્ધજિતકલ્પ-ગ્રંથના જ્ઞાતા હતા તે પણ યાદ રાખવાની જરૂર છે.
→ વિશેષ સ્પષ્ટીકરણ :
અહીં સ્પષ્ટ કરવું જરૂરી છે કે, ગુરની ભક્તિના સંકલ્પપૂર્વક શ્રાવકે અલગ રાખેલું કે આપેલું દ્રવ્ય પણ (ગુરુનો સંકલ્પ હોવાથી) ગુરુદ્રવ્ય કહેવાય છે. છતાં પણ તે શ્રાવકનું પોતાનું દ્રવ્ય જ છે. તેનાથી તે ગુરુની વૈયાવચ્ચ કરી શકે છે.
પરંતુ ગુરુની પૂજા કરીને મૂકેલું સુવર્ણાદિદ્રવ્ય કે ગુરુપૂજન વગેરેની ઉછામણીનું દ્રવ્ય, એ અર્પિત-સમર્પિત કરેલું ગુરુદ્રવ્ય છે. તે ગુરુદ્રવ્યથી ગુરુની વૈયાવચ્ચ ન થઈ શકે. આ સમર્પિત ગુરુદ્રવ્યનો ઉપયોગ દ્રવ્યસપ્તતિકા-હીરપ્રશ્નાનુવાદ ગ્રંથાનુસારે જીર્ણોદ્વારાદિમાં જ કરવાનો હોય
છે.
એટલે આપણે પૂર્વે દેવદ્રવ્ય-જ્ઞાનદ્રવ્યના વિષયમાં જે વિવેક કર્યો હતો, તેવો વિવેક ગુરુદ્રવ્યના વિષયમાં પણ કરવાનો જ છે. વળી, ગુરુપૂજન કરનારા કે ગુરુપૂજનની ઉછામણી બોલનારા શ્રાવકો ‘આ રકમથી ગુરુની વૈયાવચ્ચ થાય' એવા ઉદ્દેશથી ગુરુપૂજન કરતા જ નથી. પરંતુ ગુરુની ભક્તિસ્વરૂપે એ દ્રવ્યનું સમર્પણ કરતા હોય છે.
પ્રશ્ન ઃ એવું કહેવાય છે કે, ‘‘શ્રી દ્રવ્યસઋતિકાકા૨ને દ્રવ્યસઋતિકાની ગાથા-૧૨ની ટીકા રચતી વખતે શ્રાદ્ધજીતકલ્પની ગાથા અને ટીકા સ્પષ્ટપણે