Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૪૪૩
પરિશિષ્ટ-૨૦ આદિની બોલીઓ ન જ લેવી જોઈએ. કેમ કે, સ્વપ્ન આદિની બોલીને દેવદ્રવ્ય જ ગણવાની માન્યતા ઉપરના મુદ્દાઓથી સ્પષ્ટ થઈ જ જાય છે.
(૭) જો પૂ. સાગરજી મહારાજ સ્વપ્ન આદિની બોલી દહેરાસર સાધારણમાં જઈ શકે તેવું માનતા હોત તો તેઓ શ્રીમદ્દી આજ્ઞાને અનુસરનાર સુરતગોપીપુરાના વાડી જૈન ઉપાશ્રયના સંઘ-ટ્રસ્ટના વહીવટમાં આવેલ અનંતનાથજી જૈન દહેરાસરમાં સાધારણખાતાનો તોટો પણ નહોતી અને તે મંદિરમાં (લગભગ વિ.સં. ૨૦૫૦ની સાલમાં) બોર્ડ પણ ન મૂકવું પડ્યું હોત કે અત્રે દહેરાસરજીમાં સાધારણખાતામાં તોટો હોવાથી દરેક ભાગ્યશાળીઓ સાધારણમાં રકમ ઉદારતાથી લખાવે. (અહીંયાદ રહે કે, સુરતમાં એ ઉપાશ્રયમાં સુપનાઆદિની ઉપજ રેકોર્ડરૂપ હોય છે.)