Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પરિશિષ્ટ-૨૨
४४७
જાણેલ છે. ૩-૧૯૩ll
(C) પ્રશ્નઃ ગાય વગેરે જીવને છોડાવવાને માટે દ્રવ્યલિંગીનું દ્રવ્ય કામ આવી શકે? નહિ?
ઉત્તરઃ જ્ઞાન વગેરે સંબંધી તે દ્રવ્ય ન હોય, તો કામ આવી શકે છે. નિષેધ જાણવામાં નથી. //૩-૮૧૭થી
(D) પ્રશ્ન ઃ કોઈ માણસે પોતાનું ઘર પણ જિનાલયને અર્પણ કરેલ હોય, તેમાં કોઈ પણ શ્રાવક ભાડું આપીને રહી શકે? કે નહિ?
ઉત્તરઃ જોકે ભાડું આપીને તે ઘરમાં રહેવામાં દોષ લાગતો નથી, તો પણ તેવા પ્રકારના કારણ વિના ભાડું આપીને પણ તેમાં રહેવું વ્યાજબી ભાસતું નથી. કેમકે-દેવદ્રવ્યના ભોગ વગેરેમાં નિઃશૂકતાનો પ્રસંગ થઈ જાય. N૩-૭૬પા
(E) પ્રશ્નઃ શ્રાવકો દેવદ્રવ્ય વ્યાજે ગ્રહણ કરે? કે નહિ? ઉત્તરઃ મહાન કારણ સિવાય દેવદ્રવ્ય વ્યાજે લે નહિ. ૩-૮૪૧ પ્રશ્નઃ દેરાસરના નોકર પાસે પોતાનું કાર્ય કરાવાય? કે નહિ?
ઉત્તર ઃ દેરાસરના સાચવનારથી દેરાસરના નોકર પાસે પોતાનું કાર્ય કરાવાય નહિ. ૩-૮૪રા
() પ્રશ્નઃ જ્ઞાનદ્રવ્ય અને જીવદયા દ્રવ્ય-દેરાસરના કાર્યમાં વપરાય છે નહિ?
ઉત્તર : જ્ઞાનદ્રવ્ય દેરાસરના કાર્યમાં કામ લાગે, તેવા અક્ષરો ઉપદેશચિંતામણિમાં છે અને જીવદયા દ્રવ્ય તો મહાન કારણ સિવાય દેરાસરમાં વાપરી શકાય નહિ. ૩-૮૪૩
પ્રશ્નઃ સાત ક્ષેત્રમાં મૂકેલ સાધુ-સાધ્વી ક્ષેત્ર દ્રવ્યનો વ્યય શ્રાવકોએ સાધુસાધ્વી બાબતના કયા ઠેકાણે કરવો જોઈએ?
ઉત્તર : સાત ક્ષેત્રમાં મૂકેલ સાધુ-સાધ્વી ક્ષેત્રદ્રવ્યનો ખર્ચ સાધુ-સાધ્વીને આપદામાંથી બચાવવામાં, તથા ઔષધ કરાવવામાં, તથા માર્ગમાં સહાય કરવી વગેરે બાબતોમાં શ્રાવકોએ કરવો જોઈએ. ૩-૭૨ના
(G) तथा-देवद्रव्यस्य वृद्धिकृते श्राद्धैस्तत्स्वयं व्याजेन गृह्यते न वा इति, तद्ग्राहकाणां दूषणं किं वा भूषणमिति प्रश्नोऽत्रोत्तरं-श्राद्धानां देवद्रव्यस्य व्याजेन ग्रहणं न युज्यते, निःशूकताप्रसङ्गात्, नतु वाणिज्यादौ