Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
४४६
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા દેવદ્રવ્ય કહેવાયું છે. તેનો ઉપયોગ હવે દેવપૂજા સિવાય બીજે ક્યાંયે ન થાય. તેથી પૂર્વોક્ત પ્રશ્નના ઉત્તરમાં આવા કેશરાદિથી ગુરુના પગલાંની પૂજા કરવાની ના પાડી છે.
પરંતુ કેસરાદિ માટે એકમાત્ર જિનપૂજાનો જ સંકલ્પ ન હોય, તો તે સંકલ્પિ દેવદ્રવ્ય બનતું નથી. પણ તેને સાધારણ દ્રવ્ય કહેવાય છે. તેનાથી જિનપૂજા પણ થઈ શકે અને ગુરુના પગલાંની પૂજા પણ થઈ શકે. પરંતુ દેવની આશાતના ન થાય તે માટે પહેલાં જિનની અને પછી ગુરુના પગલાંની પૂજા કરવાનું કહ્યું છે.
આ વાત ઉદાહરણથી સમજીએ. દેરાસરના બટવામાં મૂકેલા ચોખા માટે સંકલ્પ હોય કે, આ ચોખા માત્ર જિનેશ્વર પરમાત્મા આગળ ધરીશ, તો તે ચોખા દ્રવ્ય સંકલ્પિત દેવદ્રવ્ય બને છે અને તેથી તેનો ઉપયોગ દેવપૂજામાં જ થાય. પરંતુ માત્ર જિનપૂજાનો જ સંકલ્પ ન હોય અને ધર્મ સંબંધી શુભ કાર્યોમાં વાપરવા બટવામાં ચોખા મૂકયા હોય, તો તે બટવામાં રહેલા ચોખા જિનપૂજામાં પણ ઉપયોગી બને, ગુરુ આગળ ગફૂલી કરવામાં પણ ઉપયોગી બને છે અને શ્રાવકના બહુમાન વખતે કંકુના તિલક ઉપર ચોંટાડવામાં પણ ઉપયોગ કરી શકાય છે.
પૂર્વોક્ત સ્પષ્ટતાથી વાચકો સત્યને સમજી શકશે અને તે પક્ષના અપપ્રચારને પણ ઓળખી શકશે. તદુપરાંત, સેનપ્રશ્નનો આગળ જણાવેલ (H) નંબરનો પ્રશ્નોત્તર જોવાથી પણ બધી ભેદરેખાઓ સ્પષ્ટ થઈ જશે.
(B) तथा-द्रव्यलिङ्गिनो द्रव्यं जिनप्रसादे प्रतिमायां च जीवदयायां वा ज्ञानकोशे वा कुत्र कुत्र व्यापार्यते इति प्रश्नोऽत्रोत्तरं-द्रव्यलिङ्गिनो द्रव्यं जिनानां प्रासादे प्रतिमायां च नोपयोगि, जीवदयायां ज्ञानकोशे चोपयोगीति જ્ઞાતિમતિ રૂ-૨૬રા
પ્રશ્ન : દ્રવ્યલિંગીનું દ્રવ્ય દેરાસરમાં, પ્રતિમામાં, જીવદયામાં કે જ્ઞાનભંડારમાં કયાં ક્યાં વપરાય?
ઉત્તર : દ્રવ્યલિંગીનું દ્રવ્ય દેરાસરમાં અને પ્રતિમામાં વાપરવું યોગ્ય નથી, પણ જીવદયામાં અને (જ્ઞાનસંબંધી પુસ્તકાદિ) જ્ઞાનકોશમાં ઉપયોગી થાય, એમ