Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૮ : ગુરુદ્રવ્ય અંગે વિચારણા
૨૬૧
→ બીજા પક્ષની બીજી દલીલ એ છે કે, જો શ્રાદ્ધજીતકલ્પની ટીકામાં વસ્ત્રાદિમાંના આદિ પદથી સુવર્ણાદિ ગ્રહણ કરીને વસ્ત્રાદિના ઉપભોગના પ્રાયશ્ચિત્ત જેવું જ પ્રાયશ્ચિત્ત સુવર્ણાદિના ઉપભોગનું આપ્યું છે, એમ કહેશો તો એક મહત્ત્વની આપત્તિ એ આવશે કે, તે સાધુની પાસે આવેલા સુવર્ણાદિ બે પ્રકારના છે. તે પૂર્વે જણાવેલ છે. તેમાંથી વેષધારી સાધુનું સુવર્ણાદિ દ્રવ્ય જો ઉપભોગમાં આવ્યું હોય તો પ્રાયશ્ચિત્ત શું આવે ? - એના જવાબમાં એમ તો કહી શકાશે જ નહીં કે, તેટલું સુવર્ણાદિ વૈયાવચ્ચાદિમાં આપવાપૂર્વક ઉપરોક્ત પ્રાયશ્ચિત્ત જાણવું. કારણ કે, ત્યાં તમે વૈયાવચ્ચાદિમાંના આદિ પદથી જીર્ણોદ્વારાદિ કહ્યો છે અને દ્રવ્યસપ્તતિકાકારે તો લિંગધારી સાધુના દ્રવ્યને તો અત્યંત અશુદ્ધ હોવાથી ચૈત્યાદિમાં જોડવાની ના પાડી છે.
(द्रव्यलिंगिद्रव्यं चाभयदानादावेव प्रयोक्तव्यम् । ન તુ ચૈત્યાવી અત્યંતાશુદ્ધત્વાન્ । ગાથા-૧૨/ટીકા)
આથી બીજો પક્ષ કહે છે કે, (૧) દ્રવ્યસપ્તતિકાકારે સાધુ પાસેના પૂર્વોક્ત રીતિથી આવેલા સુવર્ણાદિ દ્રવ્યનો ઉપયોગ જિનાલયના જીર્ણોદ્વા૨નવ્યચૈત્યનિર્માણાદિમાં જણાવ્યો છે. તેથી તેવા સુવર્ણાદિ દ્રવ્યનો ઉપભોગ થઈ જાય તો તેટલા સુવર્ણાદિને જીર્ણોદ્વારાદિમાં આપવા પૂર્વક પૂર્વનિર્દિષ્ટ પ્રાયશ્ચિત્ત કરવું તથા (૨) દ્રવ્યસપ્તતિકાકારે દ્રવ્યલિંગી સાધુ પાસે રહેલા સુવર્ણાદિ દ્રવ્યનો ઉપયોગ જીવદયાદિમાં જણાવ્યો છે. તેથી તેવા સુવર્ણાદિ દ્રવ્યનો ઉપભોગ થઈ જાય તો તેટલા સુવર્ણાદિને જીવદયાદિમાં આપવાપૂર્વક પૂર્વનિર્દિષ્ટ પ્રાયશ્ચિત્ત કરવું અને આ રીતે ગુરુદ્રવ્યનો ઉપયોગ અને પ્રાયશ્ચિત્તનું યોજન કરવાથી શ્રાદ્ધજિતકલ્પ, દ્રવ્યસપ્તતિકા, હીરપ્રશ્નાનુવાદ : આ ત્રણ ગ્રંથો અને પરંપરા - આ સર્વે સાથે સંવાદ સધાય છે. કોઈ સ્થળે વિરોધ આવતો નથી.
અહીં ઉલ્લેખનીય છે કે, શ્રાદ્ધજિતકલ્પની ટીકામાં સુવર્ણાદિ ગુરુદ્રવ્યના ઉપભોગમાં કશું કહેવામાં આવ્યું નથી અને વસ્ત્રાદિમાંના