Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૨૭૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથો મેં શ્રી જિન ઔર ગુરુ અંગ ઔર અગ્ર પૂજા કા વર્ણન મિલતા હૈ.”
(B) પૂ.આ.શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.ની ગુરુદ્રવ્યની અંગેની માન્યતા
શ્રી દ્રવ્યસપ્તતિકાના પાઠોને આશ્રયીને પૂ. આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ.ની પ્રેરણાથી સ્થાપિત “શ્રી સીમંધર સ્વામી જિનમંદિર ખાતું મહેસાણા, આ સંસ્થા દ્વારા વિ.સં. ૨૦૧૭માં પ્રકાશિત “સ્વપ્ન દ્રવ્ય વિચાર” નામની પુસ્તિકામાં ગુરુદ્રવ્ય વિભાગમાં નીચે મુજબ જણાવવામાં આવ્યું છે કે –
ગુરુદ્રવ્ય” પાંચ મહાવ્રતધારી, સંયમી, ત્યાગી મહાપુરુષોની સામે ગહુલી કરી હોય કે ગુરુની નાણાથી પૂજા, ગુરુ પૂજાની બોલીના પૈસા જીર્ણોદ્ધારમાં ખર્ચવા જોઈએ, એવું દ્રવ્ય સપ્તતિકામાં સ્પષ્ટ જણાવ્યું છે. દેવદ્રવ્ય, જીર્ણોદ્ધાર ખાતામાં આ પૈસા જાય તે સંગત છે.