Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૧૦ઃ જ્ઞાનદ્રવ્ય અને તેનો વિનિયોગ
૨૮૩
ભાદરવા વદી દશમ, ગુરુવાર તા. ૧૯.૮.૫૭
લી. લુહારની પોળ, શ્રી રાજનગર સ્થિત સમસ્તશ્રમણ સંઘ તરફથી જૈન ઉપાશ્રય, અમદાવાદ | વિજયહર્ષસૂરિ
= હવે વિ.સં. ૨૦૪૪ના સીમિત શ્રમણસંમેલનનો જ્ઞાનદ્રવ્ય અંગેનો ઠરાવ જોઈશું.
નિર્ણય-૧૫: જ્ઞાન દ્રવ્યના સવ્યય માટે માર્ગદર્શનઃ
આપણા આગમાદિ શાસ્ત્રગ્રંથોનું સંરક્ષણ-સંવર્ધન-લેખન-અનુવાદ-મુદ્રણ-પુનર્મુદ્રણ આદિ કાર્યોમાં જ્ઞાન દ્રવ્યનો ઉપયોગ કરવાની ખાસ જરૂર આપે છે. આજકાલ ઘણાં સ્થળોમાં જ્ઞાનદ્રવ્ય ભેગું થયે જતું હોય છે, જેનો કોઈ ઉપયોગ થતો નથી. તે દ્રવ્યનો સદુપયોગ થાય તે હેતુથી, પ્રત્યેક સંઘને, આ શ્રમણ સમેલન, ભારપૂર્વક સૂચના કરે છે કે, દરેક સંઘ, પોતાને ત્યાં ભેગા થતાં જ્ઞાનદ્રવ્યનો, ઉપર જણાવ્યા મુજબ જ્ઞાનભક્તિમાં સવ્યય કરે. વળી, સાધુ-સાધ્વીજીના અધ્યયન-અધ્યાપનમાં ખાસ લક્ષ્ય આપી તે અંગે જ્ઞાનદ્રવ્યનો સદ્વ્યય કરવો જરૂરી છે. નિર્ણય - ૧૫ઃ સમાલોચનાઃ
– જ્ઞાનદ્રવ્યની વ્યવસ્થા માટે વિ.સં. ૨૦૧૪માં જે ઠરાવ થયેલો છે તે આજ સુધી અમલમાં પણ છે. એટલે જ્ઞાનદ્રવ્ય અંગે નવો કોઈ ઠરાવ કરવાની આવશ્યકતા જ નથી. છતાં પણ આ નવો ઠરાવ કરવામાં આવ્યો. તે પાછળ વિ.સં. ૨૦૧૪ના ઠરાવને લૂલો કરવાનો હેતુ હોય તેમ સ્પષ્ટ જણાય છે અને તે પછી પ્રગટ થયેલી ચર્ચા ઉપરથી તે વધુ સ્પષ્ટ બન્યું છે.
– વિ.સં. ૨૦૧૪ના તે ઠરાવમાં જ્ઞાનદ્રવ્યનો ઉપયોગ જૈન શ્રાવકશ્રાવિકાના અધ્યયનાદિમાં કે પૂ.સાધુ-સાધ્વીજી મ.ને ભણાવતાં જૈન પંડિત વગેરેને પગાર આપવામાં પણ ન થાય તેમ શાસ્ત્રમર્યાદાનુસાર સ્પષ્ટપણે નક્કી કરેલ છે. એ મર્યાદા આ સંમેલનના નિર્ણયમાં અસ્પષ્ટ રાખવામાં