Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પરિશિષ્ટ-૨
૩૪૩ માળાનું દ્રવ્ય દેવદ્રવ્ય ગણાય છે. માળારોપણ અંગે ધર્મસંગ્રહમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે, ઐન્દ્રી અથવા માલા પ્રત્યેક વર્ષે દેવદ્રવ્યની વૃદ્ધિ માટે ગ્રહણ કરવી. શ્રાદ્ધવિધિમાં પાઠ છે. માલાપરિબાપનાદિ જ્યારે જેટલી બોલીથી કર્યું તે સર્વ ત્યારે દેવદ્રવ્ય થાય છે તે રીતે શ્રાદ્ધવિધિના છેલ્લા પર્વમાં સ્પષ્ટ પ્રમાણ છે કે શ્રાવકોએ દેવદ્રવ્યની વૃદ્ધિને માટે માળોદ્ઘાટન કરવું તેમાં ઇંદ્રમાળા અથવા અન્યમાળા દ્રવ્યના ઉત્સર્ષણ દ્વારા એટલે ઉછામણી કરવા દ્વારા માળા લેવી. આ બધા ઉલ્લેખોથી તેમજ દ્રવ્ય સપ્તતિકા ગ્રંથમાં દેવને માટે સંકલ્પલ વસ્તુ તે દેવદ્રવ્ય થાય છે તે પાઠ છે. દેવદ્રવ્યના ભોગથી કે તેનો નાશ થતો હોય ત્યારે છતી શક્તિએ ઉપેક્ષા કરવાથી દોષો લાગે છે. આને અંગે સ્પષ્ટતાથી વિશેષ રીતે ત્યાં બિરાજમાન પૂ.આ.ભ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મ. શ્રીની પાસેથી જાણી શકાશે.
પત્રકાર કેટલો વિસ્તાર કરવો?
(આ અભિપ્રાય પૂ. પાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરિના પટ્ટાલંકાર આ.ભ. શ્રી વિજયકનકચંદ્રસૂરિ મહારાજનો છે – પ્રકાશક)
(૨૨)
સાદડી શ્રા. સુદી ૭ શુક્રવાર પાટીકા ઉપાશ્રય. શ્રાવક અમીલાલ રતિલાલ.
લી. મુનિ સુબોધવિજયજી, ધર્મલાભ પૂર્વક જણાવવાનું કે પત્ર મળ્યો. વાંચી સમાચાર જાણ્યા છે.
સુપનના પૈસા દેવદ્રવ્યમાં જાય તેવી જાહેરાત ગયે વર્ષે શ્રી મહાવીર શાસનમાં અમારા પૂ.આ. મહારાજશ્રીના નામથી આવી ગઈ છે. બાકી જેમ અમારા પૂ. મહારાજશ્રી કરે તે પ્રમાણે અમે પણ માનીએ, શ્રાદ્ધવિધિ વગેરે ગ્રંથોમાં દ્રવ્યસપ્તતિકા વગેરેમાં ચોકીનું જણાવ્યું છે. મુનિ સંમેલનમાં એક કલમ દેવદ્રવ્ય માટે નક્કી થયેલ છે. સહીઓ થયેલ છે. કિં બહુના.
I