Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૪૨૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા આ દ્રવ્યથી જ્ઞાનભંડાર માટે, જ્ઞાનમંદિર બાંધી શકાય. પરંતુ જ્ઞાન દ્રવ્યથી બનેલા જ્ઞાનમંદિરમાં સાધુ, સાધ્વી કે પોષાતી શ્રાવક-શ્રાવિકા રહી શકે નહિ. સંથારો વગેરે કરી શકે નહિ.
આ ક્ષેત્ર (જ્ઞાનદ્રવ્ય) પણ દેવદ્રવ્ય જેટલું જ પવિત્ર હોવાથી સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકા પોતાના ઉપયોગમાં આ દ્રવ્ય વાપરી શકે નહિ. વ્યાવહારિક શિક્ષણમાં આ દ્રવ્યનો બિલકુલ ઉપયોગ થાય જ નહિ.
ધાર્મિક શિક્ષણ ખાતુ - પાઠશાળા. આ ખાતું સાધર્મિક શ્રાવક-શ્રાવિકાની જ્ઞાન ભક્તિ માટેનું સાધારણ ખાતું છે. જો શ્રાવકશ્રાવિકાઓએ પોતાનું દ્રવ્ય પોતાના ધાર્મિક અભ્યાસ માટે અર્પણ કર્યું હોય તો તે રકમથી શ્રાવક પંડિત રાખી શકાય. જેનો લાભ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા ચારે વર્ગ લઈ શકે. ધાર્મિક પુસ્તકો તથા ઈનામ વગેરે પણ એમાંથી આપી શકાય. પરંતુ આ પૈસા વ્યાવહારિક શિક્ષણમાં કોઈપણ રીતે વપરાય નહિ. આ વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ.
૪-૫. સાધુ-સાધ્વી ક્ષેત્ર - સંયમધારી સાધુ-સાધ્વી મહારાજની ભક્તિ માટે વૈયાવચ્ચ માટે જે રકમ દાનવીરો તરફથી મળી હોય, તો તેનો ઉપયોગ સંયમધારી સાધુ સાધ્વીજી મહારાજની સંયમ શુશ્રુષા અને વિહાર આદિની અનુકૂળતા માટે ખર્ચ થઈ શકે.
આ ક્ષેત્રનું દ્રવ્ય જરૂર પડે, તો ઉપરના ત્રણે ક્ષેત્રમાં શ્રી સંઘની આજ્ઞાનુસાર ખર્ચી શકાય, પરંતુ નીચેના શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રમાં આ પૈસાનો ઉપયોગ થઈ શકે
નહિ.
૬-૭. શ્રાવક-શ્રાવિકા ક્ષેત્ર - ભક્તિભાવથી આ ક્ષેત્રમાં સમર્પણ કરેલ જે દ્રવ્ય તે શ્રાવક શ્રાવિકાઓને, ધર્મમાં સ્થિર કરવા માટે, આપત્તિના સમયમાં સહાયતા કરવા માટે, અથવા દરેક પ્રકારના ભક્તિના કાર્યમાં આ દ્રવ્યનો ખર્ચ થઈ શકે છે. કારણ કે, આ દ્રવ્ય ચોથા ગુણસ્થાનકમાં રહેવાવાળા આત્માઓની ભક્તિ માટે છે, આ ધાર્મિક પવિત્ર દ્રવ્ય છે. એટલા માટે દયા, અનુકંપા આદિ વ્યાવહારિક કાર્યોમાં આ દ્રવ્ય બિલકુલ વાપરી શકાય નહિ.
૮. ગુરુદ્રવ્ય - પાંચ મહાવ્રતધારી, સંયમી, ત્યાગી મહાપુરુષોની સામે