Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૪૨૫
પરિશિષ્ટ-૧૭
जिणपवयणवुड्डिकर, पभावगं णाण-दसण-गुणाणं । रक्खंतो जिणदव्वं, परित्त संसारिओ होइ ॥१४४॥ श्राद्धदिनकृत्य ।
સારાંશ:– જિનશાસનની ઉન્નતિ કરનારા અને જ્ઞાન-દર્શન ગુણોની પ્રભાવના કરનારા દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારો આત્મા તીર્થંકરપણાને પામે છે. જિનશાસનની ઉન્નતિ કરનારા અને જ્ઞાન-દર્શન ગુણોની પ્રભાવના કરનારા દેવદ્રવ્યની રક્ષા કરનારો આત્મા અલ્પ સંસારી-નિકટ મોક્ષગામી થાય છે. ૦ધર્મદ્રવ્યનું ભક્ષણ, ઉપેક્ષા અને વિનાશ કરવાથી દારુણ પરિણામ
जिणपवयणवुद्धिकरं, पभावगं णाण-दसण-गुणाणं। મવવંતો નિર્ધ્વ, મiત સંસારિો રો શા.વિ. ૨૪ર .
સારાંશ જૈનશાસનની વૃદ્ધિ કરનારા અને જ્ઞાન-દર્શનાદિ ગુણોની પ્રભાવના કરનારા દેવદ્રવ્યનું જે ભક્ષણ કરે છે, તે અનંત સંસારી થાય છે. . (નોંધઃ દેવદ્રવ્યના વ્યાજ આદિ દ્વારા વ્યક્તિગત લાભો મેળવે છે, તે દુર્ભાગ્ય અને દરિદ્રતાને પ્રાપ્ત કરે છે. તે જ રીતે દેવદ્રવ્યનો નાશ થતો હોય અને શક્તિ હોવા છતાં જે આત્મા ઉપેક્ષા કરે છે, તે દુર્લભ બોધી બને છે.)
जिणवस्आणारहियं वद्धारता वि के वि जिणदव्वं । बुटुंति भवसमुद्दे मूढा मोहेण अन्नाणी ॥ संबोधप्रकरण गाथा-१०२ ।
– જિનેશ્વર ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ કાર્યોથી દેવદ્રવ્યની વૃદ્ધિ કરે છે. તે આત્માઓ મોહથી મૂઢ છે અને ભવ સંસારમાં ડૂબે છે.
(નોંધ : દ્રવ્ય સપ્તતિકા ગ્રંથની ટીકામાં કહ્યું છે કે, “મલાનાદિયુવ્યાપારં વર્ચ, સદ્-વ્યાપારવિધિનૈવ તવૃદ્ધિઃ વય ' પંદર (૧૫) કર્માદાનના ધંધા છોડીને સવ્યાપાર વગેરેની વિધિથી જ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી જોઈએ.
भक्खेइ जो उविक्खेइ जिणदव्वं तु सावओ। पण्णाहीनो भवे जीवो लिप्पइ पावकम्मुणा ॥ – જે શ્રાવક દેવદ્રવ્યનું ભક્ષણ કરે છે અને દેવદ્રવ્યાદિનું ભક્ષણ કરનારની