Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પરિશિષ્ટ-૧૭
૪૨૯
पायेणंतदेऊल जिणपडिमा कारिआओ जियेण । असमंजसवित्तीए न य सिद्धो दंसणलवोवि ॥
- આ જીવે પ્રાયઃ અનંત દેરાસર અને અનંત જિનપ્રતિમા બનાવી હશે. પરંતુ શાસ્ત્રવિધિથી વિપરીત કરવાને કારણે સમ્યકત્વનો અંશ પણ પ્રાપ્ત થયો નથી.
અતિચાર · તથા દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, સાધારણ દ્રવ્ય ભક્ષિત ઉપેક્ષિત પ્રજ્ઞાપરાધે વિણાસ્યો, વિણસંતો ઉવેખ્યો, છતી શક્તિએ સારસંભાળ ન કીધી.
ભાવાર્થ ઃ દેવદ્રવ્ય, ગુરુદ્રવ્ય, સાધારણ દ્રવ્યનું ભક્ષણ કર્યું હોય, ભક્ષણ કરનારની ઉપેક્ષા કરી હોય, અજાણતાં તેનો વિનાશ કર્યો હોય, વિનાશ કરનારની અજાણતા ઉપેક્ષા કરી હોય અને શક્તિ હોવા છતાં તે દ્રવ્યની કાળજી ન રાખી હોય તો અતિચાર લાગે છે. જેની દર પંદર દિવસે પધ્ધી પ્રતિક્રમણમાં માફી માંગવાની હોય છે.
- દ્રવ્યસપ્તતિકા સ્વપજ્ઞ ટીકાઃ जिणदव्वऋणं जो धरेड़ तस्य गेहम्मि जो जिमइ सड्डो । पावेण परिलिपइ गेण्हंतो वि हु जइ भिक्खं ॥
- જે જિન-દ્રવ્ય (દેવદ્રવ્ય)નો દેવાદાર હોય છે. તેના ઘરે શ્રાવક જમે તો જમનાર તે શ્રાવક પાપથી લેપાય છે. તેના ઘરેથી સાધુ પણ જો ગોચરી ગ્રહણ કરે તો તે પણ પાપથી લેપાય છે.
चेइअदव्वं गिणिहंतु भुंजए जइ देइ साहुण। सो आणा अणवत्थं पावई लिंतो विदितोवि ॥
– વ્યવહારભાષ્યમાં કહ્યું છે કે - જે દેવદ્રવ્યને ગ્રહણ કરીને ભક્ષણ કરે છે અને સાધુને આપે છે, તે આજ્ઞાભંગ, અનવસ્થા દોષથી દૂષિત થાય છે. આપનાર અને લેનાર બંને પાપથી લેવાય છે.
अत्र इदम् हार्दम्-धर्मशास्त्रानुसारेण लोकव्यवहारानुसारेणापि यावद् देवादि ऋणम् सपरिवार-श्राद्धादेमूनि अवतिष्ठते तावद् श्राद्धादि-सत्कः