Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti

View full book text
Previous | Next

Page 476
________________ પરિશિષ્ટ-૧૬ ૪૨૧ દેવદ્રવ્ય ગણાય. ૦ સદુપયોગ : આ દ્રવ્યનો ઉપયોગ જિનમંદિરોનાં જીર્ણોદ્ધારમાં, નવું મંદિર બંધાવવામાં, આક્રમણના સમયે તીર્થની રક્ષા કરવામાં, દેવ અને પ્રભુ નિમિત્તે ભક્તિ કાર્યમાં થઈ શકે. જિનેશ્વર ભગવાનની ભક્તિ પૂજા તો શ્રાવકે પોતાના દ્રવ્યથી જ કરવી જોઈએ, પણ જ્યાં શ્રાવકોનાં ઘર ન હોય, ત્યાં દેવદ્રવ્યથી પણ પ્રભુપૂજા કરાવવી જોઈએ, પ્રતિમાજી અપૂજ તો ન જ રહેવા જોઈએ. જ્યાં શ્રાવક ખર્ચ કરવા શક્તિશાળી ન હોય, ત્યાં જૈનેતર પૂજારીનો પગાર, કેશર-ચંદન, અગરબત્તી આદિનો ખર્ચ દેવદ્રવ્યમાંથી કરી શકાય. પણ એટલું તો ચોક્કસ ધ્યાન રાખવું, કે શ્રાવકનાં કામમાં તો આ દ્રવ્ય વપરાય જ નહિ. જો પૂજારી શ્રાવક હોય તો તેને સાધારણ ખાતામાંથી પગાર આપવો જોઈએ. જૈન વસ્તીના અભાવે પ્રભુપૂજા તથા મંદિર સંબંધી તમામ ખર્ચ, દેવદ્રવ્યમાંથી થઈ શકે. જૈનને દેવદ્રવ્યનો પૈસો અપાય જ નહિ. કારણ કે, લેવા અને દેવાવાળા બને પાપના ભાગીદાર થાય છે. આ ખાતાનું દ્રવ્ય પહેલાં ખાતામાં ખર્ચી શકાય. આ બંને દ્રવ્ય દેવદ્રવ્ય સંબંધી પવિત્ર દ્રવ્ય હોવાથી નીચેના પાંચ ખાતાઓમાં એનો કદી ઉપયોગ થાય નહિ. ૩. જ્ઞાનદ્રવ્ય - આગમ, શાસ્ત્રપૂજન, પ્રતિક્રમણના સૂત્રોની બોલી, શ્રીકલ્પસૂત્ર, શ્રીબારસાસૂત્ર અથવા બીજા કોઈ પણ સૂત્રના ચઢાવા બોલાય કે નાણું ચઢાવાય તે બધું જ જ્ઞાન દ્રવ્યમાં ગણાય. ઉપયોગ :- આ દ્રવ્યમાંથી સાધુ સાધ્વીજી મહારાજને ભણાવવા માટે, જૈનતર પંડિતને પગાર આપી શકાય, ભણવા-ભણાવવા યોગ્ય સાહિત્ય ખરીદી શકાય. જ્ઞાનભંડાર માટે ધાર્મિક પુસ્તકો લાવી શકાય. જૈનોને સાધારણ ખાતામાંથી યા તો શ્રાવકે પોતાના જ પૈસા આપવા. જ્ઞાન ભંડારનો ઉપયોગ શ્રાવક-શ્રાવિકા કરે તો, તેમણે વાર્ષિક નકરો આપવો જોઈએ. જ્ઞાનદ્રવ્યથી ધાર્મિક આગમ શાસ્ત્ર લખવા-લખાવવા આદિ માટે તથા તેમની રક્ષા માટે જરૂરી ચીજ વસ્તુ લાવવાનો ખર્ચ થઈ શકે.

Loading...

Page Navigation
1 ... 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506