Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પરિશિષ્ટ-૯
૩૮૯ પ્રશ્નઃ જે શ્રાવકની શક્તિ ન હોય તે જિનપૂજાનો લાભ કેવી રીતે લે?
ઉત્તર : જે શ્રાવકની શક્તિ ન હોય તે મંદિરમાં કાજો લેવો, કેસર ઘસવું, ફૂલની માળા બીજાને ગૂંથી આપવી, અંગ રચના વગેરેમાં સહાયક બનવું તેમજ અંગલૂછણાદિ ધોઈ આપવા દ્વારા મહાન પૂજાનો લાભ મેળવી શકે છે.
| મુનિશ્રી હેમરત્નવિજય.
ટિપ્પણી: (૧) મુનિશ્રીએ (આચાર્યશ્રીએ) ગુરુપૂજન અને ગફૂલીમાં આવેલી રકમને જિનમંદિરની આવકમાં સમાવેશ કરીને સ્પષ્ટ શબ્દોમાં તેને દેવદ્રવ્ય તરીકે જણાવેલ છે. પૂર્વે સમસ્ત શ્રીસંઘ આવું જ માનતો હતો.
(૨) મુનિશ્રીએ પૂજારીઓનો પગાર દેવદ્રવ્યમાંથી આપવાની સ્પષ્ટ ના પાડી છે. સ્વપ્નદ્રવ્યને દેવદ્રવ્યમાં જ લઈ જવાનું જણાવ્યું છે અને એમાં મુનિ સંમેલનના ઠરાવનો હવાલો આપ્યો છે.
(૩) ગુરુપૂજનના પૈસા દેવદ્રવ્યમાં લઈ જવાનું કહીને ગુરૂવૈયાવચ્ચમાં લઈ જાય એ જરાય ઉચિત નથી, એમ કહ્યું છે.
(૪) શ્રાવકની જિનપૂજાવિધિમાં શાસ્ત્રાનુસારી જ માર્ગદર્શન આપ્યું છે. પણ નિધનશ્રાવકને પરદ્રવ્યથી કે દેવદ્રવ્યથી જિનપૂજા કરવાનું માર્ગદર્શન આપ્યું નથી.