Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પરિશિષ્ટ-૧૪ જૈન સંસ્થાઓના પત્રો
આરતી-મંગળ દીવાની થાળીમાં મૂકાયેલ દ્રવ્ય અંગે પેઢીના બે પત્રો:
(નોંધ: આરતી-મંગળદીવાની થાળીમાં મૂકેલ રકમ દેવદ્રવ્ય ખાતે જાય છે. તે અંગે શ્રી શત્રુંજય તીર્થાધિરાજ આદિ સંખ્યાબંધ તીર્થોનો વહીવટ સંભાળતી શેઠ આણંદજી કલ્યાણજી પેઢી તથા શ્રી શંખેશ્વરજી તીર્થનો વહીવટ સંભાળતી શ્રી જીવણદાસ ગોડીદાસ પેઢી (શંખેશ્વર)ના પત્રો નીચે મુજબ છે...)
શેઠ આણંદજી કલ્યાણજી પેઢી તરફથી મળેલ પત્રની નકલ અક્ષરશઃ નીચે મુજબ છે– “પત્ર જા. સં. ૭૯૩, અમદાવાદ, શેઠ આણંદજી કલ્યાણજી શ્રી મહેન્દ્રભાઈ સાકરચંદ શાહ
અખિલ ભારતીય જૈન શ્વેતાંબર બંગલા નં. ૧/૧, કેવડીયા કોલોની, મૂર્તિપૂજક શ્રીસંઘના પ્રતિનિધિ, ભરૂચ-૩૯૩૧૫૧.
ઝવેરવાડ, અમદાવાદ-૧ વિ. તમારો તા. ૮-૪-૯૫નો પત્ર મળેલ છે. તે પરત્વે જણાવવાનું કે, આરતી/મંગળદીવાના પૈસા ભંડાર ફંડ જ ગણાય. ગોઠીઓનો તે પર કોઈ હક્ક શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના વહીવટની શાખા પેઢીઓમાં અપાયેલ નથી તે જાણશો.
– લિ. જનરલ મેનેજર” (ઉપરોક્ત પત્રથી ફલિત થાય છે કે, શેઠશ્રી આણંદજી કલ્યાણજીની પેઢી, અમદાવાદ હસ્તક ભારતભરનાં જેટલા તીર્થો અને દેરાસરોનો વહીવટ છે, તેમાં આરતી | મંગળદીવાના પૈસા પૂજારીઓને નહિ આપતાં ભંડાર ખાતે (વિદ્રવ્ય ખાતે) જમા લેવાય છે. આ જ પ્રમાણે ભારતમાં શંખેશ્વરજી તીર્થ મહાપ્રસિદ્ધિ પામેલ છે. આ તીર્થની યાત્રા કરવા ભારતભરમાંથી દર વર્ષે લાખો યાત્રાળુઓ આવે છે. આ તીર્થમાં પણ આરતી/મંગળદીવાના પૈસા પૂજારીઓને ન અપાતાં ભંડાર ખાતે દિવદ્રવ્ય ખાતે) લઈ જવાય છે.)