Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૪૧૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
વ્યક્તિ આની વિરુદ્ધ મંતવ્ય રજૂ કરે અથવા પ્રચાર કરે તે જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોને આઘાત કરનાર છે એમ આ કોન્ફરન્સ માને છે.”
(સત્તરમું ફાલના અધિવેશન, ઠરાવ જો)
દેવદ્રવ્યનો ઉપયોગ અને શાસ્ત્રો :
હોલમાં શેઠ શ્રી મેઘજી સોજપાલના પ્રમુખસ્થાને ભરીને યોગ્ય ઠરાવો કરી મુંબઈ સરકાર પર મોકલી આપ્યા હતા. આ ઉપરાંત જૈન આગમશાસ્રો દેવદ્રવ્યનો ઉપયોગ જિનબિંબ અને જૈન ચૈત્ય માટે જ કરવા ફરમાન કરે છે તે દર્શાવનાર અંગ્રેજી અને ગુજરાતી પુસ્તક જૈનદર્શનના પ્રસિદ્ધ વિદ્વાન શ્રીયુત મોહનલાલ બી. ઝવેરી, બી.એ.,એલ.એલ.બી. સોલિસિટર પાસે તૈયાર કરાવી પ્રકટ કરવામાં આવેલ છે. આ પુસ્તકમાં ૨૯ આગમગ્રંથોના આધારભૂત શાસ્ત્રીય પ્રમાણો રજૂ કરવામાં આવ્યાં છે.
બિહાર ધારાસભા તરફથી પણ આવું બિલ આવતાં કોન્ફરન્સે શ્રીયુત હીરાલાલ હાલચંદ દલાલ, બાર-એટ-લોને તે માટેની ખાસ કામગીરી સુપ્રત કરી હતી. જેનું પરિણામ તેઓના ખંત ભરેલા પ્રયાસોથી સંતોષકારક આવેલું છે.
(પૂ.આ.શ્રીવિ. જિનેન્દ્રસૂરિજી મ.સા. દ્વારા લિખિત સ્વદ્રવ્યથી જ પૂજાના અધિકારી' પુસ્તકમાંથી સાભાર)