Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૩૭૩
પરિશિષ્ટ-૫ ન સમજાય તે પૂછવું જોઈએ. આ કાળમાંય સિદ્ધાંતાનુસારે માર્ગદર્શન આપનારા ગુરુ ભગવંતો વિદ્યમાન છે. તેમના માર્ગદર્શન પ્રમાણે ગ્રંથ વાંચી, સમજ મેળવી, દેવદ્રવ્યના ભક્ષણ આદિના દોષથી બચવું જોઈએ. આ ભાવના તમારામાં સ્વયંભૂ પેદા થવી જોઈએ.
પ્રશ્નઃ ““કહે છે કે – એક જ પક્ષવાળા વિરોધ કેમ કરે છે? બીજાઓને પડી નથી? એ બધા ભવભીરુ નથી? આ તો ફાંટા પડ્યા છે માટે સામાને ઉતારી પાડવા બધું થાય છે.”
- બીજા પણ વિરુદ્ધમાં છે પરંતુ ઈચ્છા છતાં ગમે તે કારણસર બોલતા નથી. આપણને આપણા તારક ગુરુમહારાજ (પૂ.આ.શ્રી રામચંદ્રસૂ.મ.)નો વારસો મળ્યો છે. સિદ્ધાંત વિરુદ્ધ વાત આવે ત્યાં આપણું લોહી તપી જાય છે. ઓછું તપતું હોય તો ગુરુ મહારાજની વફાદારી ગુમાવી છે, એમ માનવું પડે. સાચી વાત સમજનારા પણ કોઈ અગમ્ય કારણસર વિરોધ ન કરી શકતા હોય તેમ બને. મને એક અન્ય પક્ષના મહાત્મા મળ્યા અને કહ્યું કે – “તમે નિવેદન બહાર પાડ્યું તે સારું કર્યું.” એક મહાત્મા ધા.વ.વિ.નો વિરોધ કરીશું તેમ લખે છે, પણ નિવેદન બહાર પાડે તેવી શક્યતા નથી.
પ્રશ્નઃ દેવદ્રવ્યનું ભક્ષણ જાણતાં કે અજાણતાં કર્યું હોય તો કેવો દોષ લાગે તે દષ્ટાંત આપી સમજાવો તો સારું -
– આ વિષયમાં સાગર શ્રેષ્ઠીનું દબંત શાસ્ત્રમાં આવે છે. તે આપણે પછી વિચારીશું.
પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી કહે છે કે ““શ્રાવક પરદ્રવ્યથી કે દેવ-દ્રવ્યથી પૂજા કરે તો દેવદ્રવ્ય ભક્ષણનો દોષ લાગે તેવો શાસ્ત્ર પાઠ છે?”
આપણે તેમને કહેવું છે કે – ભગવાને શક્તિ અનુસાર સ્વદ્રવ્યથી પૂજા કરવાની વિધિ બાંધી છે, છતાં પોતાનું દ્રવ્ય સાચવી રાખી દેવદ્રવ્ય વાપરે તો, દેવદ્રવ્યનું ભક્ષણ (દુરુપયોગ) કર્યું એમ ન કહેવાય?
પ્રશ્નઃ દેવદ્રવ્યથી પૂજા કરનારને પ્રાયશ્ચિત્ત શું આવે?” - મને આ. શ્રી હેમચંદ્રસૂરિજી પૂ.આ.શ્રી ભુવનભાનુસૂરિ મ.ના)