Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૨૯૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ખરીદ કરી શકાય છે.
(૪) ગુરુ ભગવંતના માર્ગદર્શનથી જ્ઞાનભંડાર માટે ધાર્મિક-સાહિત્યિક પુસ્તકો ખરીદી શકાય છે.
(૫) પ્રાચીન, ધાર્મિક આગમાદિ શાસ્ત્રો લખાવવા, છપાવવા માટે અને તેની સુરક્ષા માટે જરૂરી વસ્તુઓ લાવવા માટે આ દ્રવ્યનો ઉપયોગ કરી શકાય છે.
(૬) જ્ઞાનભંડાર-જ્ઞાનમંદિર શ્રાવકોએ સ્વદ્રવ્યથી જ બનાવવા જોઈએ. પ્રાચીન જ્ઞાનની સુરક્ષા માટે જરૂર પડે તો જ્ઞાનદ્રવ્યમાંથી બનાવી શકાય. પરંતુ જ્ઞાનદ્રવ્યમાંથી બનેલા જ્ઞાનમંદિર-જ્ઞાનભંડારમાં સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સંઘ રહી શકતો નથી. એમાં રાત્રિ રોકાણ કરી શયન કરી ન શકાય. સાધુ-સાધ્વીજી ભગવંતો પણ તેમાં ગોચરીપાણી કરી શકતા નથી.
(૭) જ્ઞાનભંડારમાં પુસ્તકો રાખવા કબાટ ખરીદી શકાય છે. પણ તે કબાટ ઉપર “જ્ઞાનદ્રવ્યમાંથી ખરીદેલ કબાટ' આવું સ્પષ્ટ લખવું જોઈએ.
(૫) જ્ઞાનદ્રવ્યમાંથી ખરીદેલા કબાટમાં જ્ઞાન સંબંધી પુસ્તકો કે સામગ્રી જ રાખી શકાય. સાધુ-સાધ્વીજી ભગવંતોનો સમાન, શ્રાવકશ્રાવિકાને યોગ્ય પૌષધના ઉપકરણ અને ઉપાશ્રયની સામગ્રી રાખી ન શકાય.
(૬) જ્ઞાનભંડારને સંભાળવા માટે રાખેલ જૈનેતર ગ્રંથપાલને પગાર આપી શકાય.
(૭) ધાર્મિક પાઠશાળામાં વિદ્યાર્થી માટે જરૂરી પાંચ પ્રતિક્રમણ આદિના પુસ્તકો જ્ઞાનદ્રવ્યમાંથી ખરીદી ન શકાય. પાઠશાળાના જૈનજૈનેતર કોઈ પણ પંડિતને પગાર ન આપી શકાય.
(૭) ટૂંકમાં શ્રાવકોની પાઠશાળા સંબંધી કોઈ પણ ખર્ચો જ્ઞાનદ્રવ્યમાંથી