Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૩૦૫
પ્રકરણ - ૧૧ : ધાર્મિક દ્રવ્યનો વહીવટ કેમ કરશો? શકાય છે.
(૨) કુદરતી આફત, સામાજિક આફત, સરકારી પ્રશ્નો વગેરેમાં ચેરીટી (ધર્માદા) તરીકે આ દ્રવ્યનો ઉપયોગ કરી શકાય છે.
(૩) ઝાંપા ચૂંદડી કે ફલેચૂંદડીના ચડાવાની આવક આ શુભ ખાતામાં વાપરી શકાય છે.
૧૨. સાતક્ષેત્ર સાધારણઃ
સાતક્ષેત્રના નામ પૂર્વે જણાવ્યા છે.
સાતક્ષેત્રમાં જ્યાં પણ જરૂર હોય, ત્યાં વાપરવા માટે કોઈક વ્યક્તિ દ્વારા દ્રવ્ય પ્રાપ્ત થયું હોય, તો એનો ઉપયોગ, જે ક્ષેત્રમાં જેટલી જરૂર હોય, તે પ્રમાણમાં વાપરી શકાય છે. અથવા દાતાની ભાવના અને આશય અનુસાર તે-તે ક્ષેત્રમાં વાપરી શકાય છે. સાત ક્ષેત્રની પેટી/ડબ્બા/ગોખલા:
(૧) સાતક્ષેત્રના અલગ-અલગ નામોલ્લેખપૂર્વક પેટી વગેરે રાખ્યા હોય તો એમાંથી નીકળેલા પૈસા તે તે ખાતામાં આવક મુજબ-જરૂરિયાત મુજબ વાપરી શકાય.
(૨) સાત ક્ષેત્રોની ભેગી પેટી રાખી હોય તો તેમાંથી નીકળેલા પૈસા સાત ક્ષેત્રમાં સમાન ભાગ કરી વાપરી શકાય.
(૩) સાત ક્ષેત્ર માટે ફંડ ભેગું કર્યું હોય તો એને સમાન ભાગ કરી સાત ક્ષેત્રોમાં લગાવી શકાય.
(૪) આ સિવાય પણ કોઈપણ ફંડ કરતી વખતે જે રીતેની જાહેરાત કરીને ફંડ કર્યું હોય, તે મુજબ એનો ઉપયોગ કરવો.
(૫) પગાર વગેરે સાધારણનો ખર્ચો આ દ્રવ્યમાંથી ન કરવો. (૬) જીવદયા-અનુકંપાના કાર્યોમાં આનો ઉપયોગ ન કરવો. નોંધઃ સાત ક્ષેત્રની પેટી-ભંડાર, જીવદયાની પેટી, સાધર્મિક