Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પરિશિષ્ટ-૨
૩૨૧
શાંતાક્રુઝ શ્રીસંઘ તરફથી લખાયેલો પ્રથમ પત્ર
સવિનય લખવાનું કે, અત્રેનો શ્રી સંઘ સં. ૧૯૯૩ની સાલ સુધી સુપનની ઘીની બોલીના રૂા. ૨ મણ ૧ ના લેતા હતા અને તેને અંગે થયેલી આવક દેવદ્રવ્યમાં લેતા હતા. પણ સાધારણ ખર્ચને પહોંચી વળવા માટે ચાલુ સાલમાં વિચાર કરી એક ઠરાવ કર્યો કે સુપનની ઘીની બોલીના મણ ૧ના રૂા. ૨ા છે તેના બદલે હવેથી મણ ૧ના રૂા. ૫) કરવા. જેમાંથી હંમેશની માફક રૂપિયા ૨૫ દેવદ્રવ્યમાં લઈ જવા અને રૂા. ૨) સાધારણ ખર્ચને પહોંચી વળવા માટે સાધારણ ખાતામાં લઈ જવા. ઉપર મુજબનો કરેલ ઠરાવ શાસ્ત્રના આધારે અથવા પરંપરાએ બરાબર ગણાય કે કેમ ? તે માટે આપનો અભિપ્રાય જણાવવા મહેરબાની કરશોજી, કે જેથી તે ફેરફાર કરવાનો અગત્ય હોય તો સવેળા કરી શકાય. શ્રી સુરત, ભરૂચ, વડોદરા, ખંભાત, અમદવાદ, મહેસાણા, પાટણ, ચાણસ્મા, ભાવનગર કે અન્ય બીજા શહેરોમાં કેવી પ્રણાલિકા છે ? અને તે શહેરોના શ્રી સંઘ કેવી રીતે ઉપયોગ સુપનની બોલીના ઘીની ઉપજનો કરે છે ? તે માટેનો આપનો અનુભવ જણાવવા મહેરબાની કરશોજી.
શ્રી સંઘના ઉપરના ઠરાવ મુજબ શ્રી સુપનની બોલીના ઘીની ઉપજ શ્રી દેવદ્રવ્ય અને સાધારણમાં લઈ જાય તો, શ્રી સંઘ દોષિત થાય કે કેમ ? તે માટે આપશ્રીનો અભિપ્રાય જણાવશોજી.
સંઘના પ્રમુખ,
જમનાદાસ મોરારજી
ફરીથી તે વિષયનો શ્રી સંઘે લખેલ બીજો પત્ર
પૂજ્યપાદ...
સવિનય લખવાનું કે અત્રેના શ્રી સંઘ સુપનાની ઘીની બોલીના રૂા. ૨)નો દર ગયા વર્ષ સુધી હતો. જે આવક અત્રે દેવદ્રવ્યમાં લેતા હતા. પણ સાધારણ ખર્ચને પહોંચી વળવા માટે શ્રી સંઘે વિચાર કરી એક ઠરાવ કીધો કે,