Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૩૩૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા આથી વિપરીત રીતે ઉપયોગમાં લેનાર દેવદ્રવ્યના નાશના પાપનો ભાગીદાર થાય છે. એ જ ધર્મની આરાધનામાં સદા ઉજમાલ રહો એ જ એક સદા માટેની શુભાભિલાષા.
દઃ ચારિત્રવિજયના ધર્મલાભ.
(૫) શ્રાવણ સુદ ૭ શુક્રવાર તા. ૬-૮-૫૪
ગુડાબાલોતરા (રાજસ્થાન) પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજય મહેન્દ્રસૂરીશ્વરજી મહારાજ આદિ.
વેરાવળ મધ્ય સુશ્રાવક શા. અમીલાલ રતિલાલ યોગ ધર્મલાભ લખવાનું કે તમારો પત્ર મળ્યો છે, વાંચી સમાચાર જાણ્યા છે, લખવાનું કે ઉપધાનની ઉપજ દેવદ્રવ્યમાં જાય એવો હીરપ્રશ્નમાં ખુલાસો છે. બીજું સુપનાની ઉપજ માટે સ્વપ્ન ઉતારવાનું શરૂ થયું ત્યારથી એ ઉપજ દેવદ્રવ્યમાં જાય છે. એમાંથી દેરાસરના ગોઠીને તથા નોકરોને પગાર અપાય છે. સાધુ સંમેલનમાં આ પ્રશ્ન ચર્ચાયો હતો. પરંપરાથી દેવદ્રવ્યમાં જાય છે તેથી દેવદ્રવ્યમાં લઈ જવાનો ઉપદેશ કરવો એવો નિર્ણય કરેલ. અત્રે સુખશાંતિ છે, તમને પણ સુખશાંતિ વરતે એ જ ધર્મધ્યાનમાં ઉદ્યમ કરશો. નવીન જણાવશો. દ મુનિરાજ શ્રી અમૃતવિજયજી.
(નોંધઃ સુવિહિત આચાર્યદેવોની પરંપરાએ ચાલી આવતી આચરણા પણ ભગવાનની આજ્ઞાની જેમ માનવાનું ભાષ્યકાર ભગવાનો જણાવે છે. નિર્વાહના અભાવે દેવદ્રવ્યમાંથી ગોઠીને, નોકરને પગાર અપાય એ જુદી વાત છે. પરંતુ જ્યાં નિર્વાહ કરી શકાય તેમ હોય છતાં અપાય તો તેમાં દોષિત થવાય એમ અમારું માનવું છે.)
(૬) સ્વસ્તિ શ્રી રાધનપુરથી લિ. આચાર્ય શ્રી વિજયકનકસૂરિજી આદિઠા. ૧૦ તત્ર શ્રી વેરાવળ મળે સુશ્રાવક દેવગુરુભક્તિકારક શા. અમીલાલભાઈ રતીલાલભાઈ યોગ્ય ધર્મલાભ પહોંચે. અત્ર દેવગુરુ કૃપાથી સુખશાતા વર્તે છે. તમારો પત્ર મળ્યો, ઉત્તર નીચે પ્રમાણે –