Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૧૧: ધાર્મિક દ્રવ્યનો વહીવટ કેમ કરશો?
૨૯૫ (૫) પૂ. સાધુ-સાધ્વીજીની ભક્તિ માટે કોઈએ વ્યક્તિગત રકમ આપી હોય તો તે રકમ વૈયાવચ્ચના દરેક કાર્યમાં વાપરી શકાય. આ રકમ જૈન ડૉક્ટર આદિને ફી-પગાર તરીકે પણ આપી શકાય.
(૬) સાધુ-સાધ્વી વૈયાવચ્ચ ખાતાની રકમમાંથી ઉપાશ્રય કે વિહારધામ બનાવી ન શકાય. તે જ પ્રમાણે તે મકાનોનું સમારકામ પણ આ દ્રવ્યમાંથી ન કરી શકાય. ઉપાશ્રય-વિહારધામમાં રાખેલા કાર્યકર માણસોને પગાર પણ ન આપી શકાય.
(૭) વિહારના સ્થાનોમાં ખાવા-પીવાની કે ગોચરી-પાણી માટે વૈયાવચ્ચનું દ્રવ્ય ઉપયોગમાં લઈ શકાય નહિ. કારણ કે, વિહારના સ્થાનોમાં રસોઈ બનાવવા વગેરે કાર્ય માટે જૈન પરિવાર હોય તો તેને પણ રહેવાનું, ખાવાનું, પીવાનું ત્યાં જ હોય છે. તેથી તેને આ દ્રવ્યના ભોગવટા-ભક્ષણનો દોષ લાગે. વૈયાવચ્ચ ખાતાનું દ્રવ્ય સાધુ-સાધ્વીજીના ગોચરીમાં વાપરવું યોગ્ય નથી.
(૮) પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતોની સાથે મુમુક્ષુ-દીક્ષાર્થી શ્રાવક હોય અથવા એમને વંદન કરવા આવેલા શ્રાવક-શ્રાવિકાઓને ત્યાં રહેવાનોખાવાનો, પીવાનો અવસર પણ આવે. તેથી આ ઉપજ ત્યાં ન વપરાય..
(૯) પૂ.સાધુ-સાધ્વીજીઓ પાસે કામ કરવા માટે જૈન શ્રાવક હોય તો તેમને પણ રહેવા આદિનો અવસર આવે. આથી વિહારાદિના સ્થાનોમાં ઉદારશીલ શ્રાવકો દ્વારા ભક્તિ માટે જે દ્રવ્ય અર્પણ કરાયું હોય એનો જ ઉપયોગ કરવો.
૬-૭ શ્રાવક-શ્રાવિકા ક્ષેત્ર:
ઉદારતા સંપન્ન શ્રાવકોએ ભક્તિભાવથી જે દ્રવ્ય આપ્યું હોય, તે જ પ્રમાણે સાધર્મિક ભક્તિ માટે ફંડ કરવામાં આવ્યું હોય, તે દ્રવ્ય શ્રાવક-શ્રાવિકા ક્ષેત્રમાં જાય.