Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૩૦૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ૦ સદુપયોગ
૧. જિનમંદિરના જીર્ણોદ્ધાર અને નવનિર્માણમાં વાપરવી જોઈએ.
૨. ગુરુભગવંતની પ્રતિમા, પાદુકા અને ગુરુમંદિર નિર્માણ અને જીર્ણોદ્ધાર વગેરેમાં,
૩. ગુરુભગવંતના સંયમજીવનની અનુમોદના માટે જિનભક્તિ મહોત્સવમાં (સ્વામી વાત્સલ્ય-પ્રભાવના સિવાય) વાપરી શકાય છે.
– જૈન સંગીતકાર અને જૈન વિધિકાર વગેરેને આ રકમ આપી શકાય નહિ.
- કોઈપણ સંયોગમાં આ રાશિ જીવદયામાં વાપરી શકાય નહિ. - આ પ્રસંગે જીવદયા માટે જુદી ટીપ (ફંડ) કરી શકાય.
અગ્નિસંસ્કાર વગેરેની બોલીની રકમમાંથી જો ગુરુમંદિર માટે જમીન ખરીદી હોય અથવા ત્યાં ગુરુમંદિર બનાવ્યું હોય તો તે સ્થાનમાં પૂ. સાધુ-સાધ્વીજી કે શ્રાવક-શ્રાવિકાઓ રોકાણ તેમજ સંથારો કરી શકતા નથી. પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો ત્યાં ગોચરી-પાણી પણ વાપરી શકે નહિ.
૯. જિનમંદિર સાધારણઃ
શ્રી જિનેશ્વર પરમાત્માની ભક્તિ અને જિનમંદિરને સુવ્યવસ્થિત ચલાવવા માટે પ્રાપ્ત થયેલું દ્રવ્ય જિનમંદિર સાધારણ દ્રવ્ય કહેવાય છે.
- જિનમંદિર સાધારણ માટે કરેલું ફંડ, કાયમી તિથિ, ઉપરોક્ત હેતુથી કોઈ ભક્ત દ્વારા અપાયેલા મકાન વગેરેના ભાડાની આવક તથા જિનમંદિર સાધારણના ભંડારમાંથી પ્રાપ્ત થયેલું દ્રવ્ય, આ જિનમંદિર-સાધારણ ખાતામાં જમા કરવામાં આવે છે. સદુપયોગ:
(૧) આ ખાતાની રકમમાંથી પરમાત્માની ભક્તિ માટે દરેક પ્રકારની