SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ૦ સદુપયોગ ૧. જિનમંદિરના જીર્ણોદ્ધાર અને નવનિર્માણમાં વાપરવી જોઈએ. ૨. ગુરુભગવંતની પ્રતિમા, પાદુકા અને ગુરુમંદિર નિર્માણ અને જીર્ણોદ્ધાર વગેરેમાં, ૩. ગુરુભગવંતના સંયમજીવનની અનુમોદના માટે જિનભક્તિ મહોત્સવમાં (સ્વામી વાત્સલ્ય-પ્રભાવના સિવાય) વાપરી શકાય છે. – જૈન સંગીતકાર અને જૈન વિધિકાર વગેરેને આ રકમ આપી શકાય નહિ. - કોઈપણ સંયોગમાં આ રાશિ જીવદયામાં વાપરી શકાય નહિ. - આ પ્રસંગે જીવદયા માટે જુદી ટીપ (ફંડ) કરી શકાય. અગ્નિસંસ્કાર વગેરેની બોલીની રકમમાંથી જો ગુરુમંદિર માટે જમીન ખરીદી હોય અથવા ત્યાં ગુરુમંદિર બનાવ્યું હોય તો તે સ્થાનમાં પૂ. સાધુ-સાધ્વીજી કે શ્રાવક-શ્રાવિકાઓ રોકાણ તેમજ સંથારો કરી શકતા નથી. પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો ત્યાં ગોચરી-પાણી પણ વાપરી શકે નહિ. ૯. જિનમંદિર સાધારણઃ શ્રી જિનેશ્વર પરમાત્માની ભક્તિ અને જિનમંદિરને સુવ્યવસ્થિત ચલાવવા માટે પ્રાપ્ત થયેલું દ્રવ્ય જિનમંદિર સાધારણ દ્રવ્ય કહેવાય છે. - જિનમંદિર સાધારણ માટે કરેલું ફંડ, કાયમી તિથિ, ઉપરોક્ત હેતુથી કોઈ ભક્ત દ્વારા અપાયેલા મકાન વગેરેના ભાડાની આવક તથા જિનમંદિર સાધારણના ભંડારમાંથી પ્રાપ્ત થયેલું દ્રવ્ય, આ જિનમંદિર-સાધારણ ખાતામાં જમા કરવામાં આવે છે. સદુપયોગ: (૧) આ ખાતાની રકમમાંથી પરમાત્માની ભક્તિ માટે દરેક પ્રકારની
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy