________________
૨૯૯
પ્રકરણ - ૧૧ઃ ધાર્મિક દ્રવ્યનો વહીવટ કેમ કરશો? ગુરુદ્રવ્ય “સાધુ-સાધ્વી વૈયાવચ્ચના કોઈપણ કાર્યમાં વાપરી શકાય નહિ.
– આચાર્ય વગેરે પદપ્રદાન પ્રસંગે જે આસન વહોરાવવાની, સ્થાપનાચાર્ય વહોરાવવાની, મંત્રપટ-મંત્રાક્ષરપોથી વહોરાવવાની, ગુરુપૂજનની, કામની વહોરાવવાની અને નૂતન નામ જાહેર કરવાની બોલી બોલાય છે, તેની આવક દેવદ્રવ્યમાં (જિનમંદિર જીર્ણોદ્ધાર-નવનિર્માણમાં) જાય છે અને નવકારવાળી વહોરાવવાની બોલીની રકમ જ્ઞાનખાતામાં જાય છે.
પૂ.સાધુ-સાધ્વીજીના કાળધર્મ પછી તેઓશ્રીના પાર્થિવદેહના અગ્નિ
સંસ્કાર-અંતિમ યાત્રા નિમિત્તે ચડાવા – પૂ. સાધુ-સાધ્વીજીના કાળધર્મ પછી અંતિમયાત્રા-અંતિમ સંસ્કાર નિમિત્તે બોલાયેલી દરેક બોલીની રકમ .
૧. સ્વર્ગસ્થ પૂજ્યના પાર્થિવ દેહનું વિલેપન-બરાસ-ચંદન પૂજાનો. ૨. સ્વર્ગસ્થ પૂજયના પાર્થિવ દેહની વાસક્ષેપ પૂજાનો. ૩. સ્વર્ગસ્થ પૂજ્યના પાર્થિવદેહને પાલખીમાં પધરાવવાનો. ૪. સ્વર્ગસ્થ પૂજ્યની પાલખીને ખભો આપવાનો.
૧. આગળ જમણી બાજુ, ૨. આગળ ડાબી બાજુ, ૩. પાછળ જમણી બાજુ અને ૪. પાછળ ડાબી બાજુ
૫. આગળ દોણી લઈને ચાલવાનો. ૬. ચાર ધૂપદાની અને ચાર દીપક લઈને ચાલવાનો. ૭. પાલખી ઉપરની લોટી (કળશ) લઈ જવાનો. ૧. મુખ્ય લોટી, ૨. બાકીના ચાર અથવા આઠ ૮. પાલખી સમયે ધર્મપ્રભાવક અનુકંપા દાન આપવાનો. ૯. પૂજ્યના શરીરને અગ્નિદાહ આપવાનો.