Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૨૮૪.
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા આવી છે.
હા ! એ વાત નક્કી કે આ નિર્ણયમાં શ્રાવક-શ્રાવિકાના ઉપયોગમાં કે પૂ.સાધુ-સાધ્વીજી મ.ને ભણાવનાર જૈન પંડિતને જ્ઞાનદ્રવ્યમાંથી પગાર આપવો એવું સ્પષ્ટ નથી જ જણાવ્યું, પરંતુ વિ. સં. ૨૦૧૪ના ઠરાવ મુજબ સ્પષ્ટ નિષેધ પણ નથી જ કર્યો. વિ.સં. ૨૦૧૪નો ઠરાવ અને આ ઠરાવ એ બન્ને ય તપાસવાથી આ વાત સ્પષ્ટ રૂપે ધ્યાનમાં આવી શકે છે.
» અહીં ઉલ્લેખનીય છે કે, જ્ઞાનભંડારના અને જ્ઞાનદ્રવ્યમાંથી છપાયેલા પુસ્તકને ભણવા-વાંચવામાં ઉપયોગ કરતા શ્રાવક-શ્રાવિકા-જૈન પંડિતોએ તેનો યોગ્ય નકરો જ્ઞાનખાતે અવશ્ય જમા કરવો જોઈએ અને પુસ્તકની માલિકી કરવાની હોય તો પૂરી કિંમત જ્ઞાનખાતે જમા કરીને જ માલિકી કરવી. અન્યથા જ્ઞાનદ્રવ્યના ભક્ષણ કરવાના પાપના ભાગી બનાય
૦ જ્ઞાનદ્રવ્ય અંગે શાસ્ત્રાજ્ઞાઃ (૧) ધર્મસંગ્રહનો પાઠઃ- (પૃ. ૧૨૭)
एवं ज्ञानद्रव्यमपि देवद्रव्यवन्न कल्पते । ज्ञानसत्कं कागदपत्रादि साध्वाद्यर्पितं श्राद्धेन स्वकार्ये न व्यापार्यम् ।[पृ० १२७]
અર્થ :- આ પ્રમાણે જ્ઞાનદ્રવ્ય પણ દેવદ્રવ્યની જેમ કહ્યું નહીં. જ્ઞાનદ્રવ્યસંબંધી સાધુભગવંતોને આપેલા કાગળ પત્ર વગેરે શ્રાવકે પોતાના કાર્યમાં વપરાય નહીં.
(૨) શ્રાદ્ધવિધિનો પાઠઃज्ञानद्रव्यं हि देवद्रव्यवन्न कल्पते एव श्राद्धानाम् ।
[પ્રથમ પ્રાણ પૃ. ૨૨૨] અર્થ:- ખરેખર શ્રાવકોને દેવદ્રવ્યની જેમ જ્ઞાનદ્રવ્ય પણ કલ્પે નહીં.