SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪. ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા આવી છે. હા ! એ વાત નક્કી કે આ નિર્ણયમાં શ્રાવક-શ્રાવિકાના ઉપયોગમાં કે પૂ.સાધુ-સાધ્વીજી મ.ને ભણાવનાર જૈન પંડિતને જ્ઞાનદ્રવ્યમાંથી પગાર આપવો એવું સ્પષ્ટ નથી જ જણાવ્યું, પરંતુ વિ. સં. ૨૦૧૪ના ઠરાવ મુજબ સ્પષ્ટ નિષેધ પણ નથી જ કર્યો. વિ.સં. ૨૦૧૪નો ઠરાવ અને આ ઠરાવ એ બન્ને ય તપાસવાથી આ વાત સ્પષ્ટ રૂપે ધ્યાનમાં આવી શકે છે. » અહીં ઉલ્લેખનીય છે કે, જ્ઞાનભંડારના અને જ્ઞાનદ્રવ્યમાંથી છપાયેલા પુસ્તકને ભણવા-વાંચવામાં ઉપયોગ કરતા શ્રાવક-શ્રાવિકા-જૈન પંડિતોએ તેનો યોગ્ય નકરો જ્ઞાનખાતે અવશ્ય જમા કરવો જોઈએ અને પુસ્તકની માલિકી કરવાની હોય તો પૂરી કિંમત જ્ઞાનખાતે જમા કરીને જ માલિકી કરવી. અન્યથા જ્ઞાનદ્રવ્યના ભક્ષણ કરવાના પાપના ભાગી બનાય ૦ જ્ઞાનદ્રવ્ય અંગે શાસ્ત્રાજ્ઞાઃ (૧) ધર્મસંગ્રહનો પાઠઃ- (પૃ. ૧૨૭) एवं ज्ञानद्रव्यमपि देवद्रव्यवन्न कल्पते । ज्ञानसत्कं कागदपत्रादि साध्वाद्यर्पितं श्राद्धेन स्वकार्ये न व्यापार्यम् ।[पृ० १२७] અર્થ :- આ પ્રમાણે જ્ઞાનદ્રવ્ય પણ દેવદ્રવ્યની જેમ કહ્યું નહીં. જ્ઞાનદ્રવ્યસંબંધી સાધુભગવંતોને આપેલા કાગળ પત્ર વગેરે શ્રાવકે પોતાના કાર્યમાં વપરાય નહીં. (૨) શ્રાદ્ધવિધિનો પાઠઃज्ञानद्रव्यं हि देवद्रव्यवन्न कल्पते एव श्राद्धानाम् । [પ્રથમ પ્રાણ પૃ. ૨૨૨] અર્થ:- ખરેખર શ્રાવકોને દેવદ્રવ્યની જેમ જ્ઞાનદ્રવ્ય પણ કલ્પે નહીં.
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy