Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૨૬૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા આદિ પદથી શું ગ્રહણ કરવું? આવી વિચારણા ચાલતી હોય ત્યારે જુદા-જુદા વિકલ્પો ચકાસવામાં કોઈ વાંધો નથી. પરંતુ જ્યારે “આદિ' પદથી સુવર્ણાદિ ગ્રહણ કરીને વિચારણા આગળ ચાલે ત્યારે દ્રવ્યસપ્તતિકા અને હીરપ્રશ્નાનુવાદ ગ્રંથમાં આવેલું તેના ઉપયોગ માટેનું માર્ગદર્શન પણ જોવું જ પડે અને સુવિહિત પરંપરા પણ વિચારવી પડે તથા તે બંને ગ્રંથો અને પરંપરા જોતાં સ્પષ્ટતા મળી જ જાય છે કે, સુસાધુનું ગુરુદ્રવ્ય જીર્ણોદ્ધારદિમાં જવા યોગ્ય છે અને વેષધારીનું સુવર્ણાદિ ગુરુદ્રવ્ય જીવદયાદિમાં જવા યોગ્ય છે, ત્યારે પ્રાયશ્ચિત્ત પણ એ ગ્રંથોને અનુકૂળ જ વિચારવું પડે, એ તો હેજે સમજી શકાય છે.
જેમ ખોવાયેલું બાળક શોધવા માટે માતા દરેક બાળક ઉપર નજર દોડાવે, પરંતુ બાળક મળી ગયા પછી ગમે તેટલાં બાળકો સામે આવે તો પણ પોતાના બાળકની શોધ માટે એ બીજા બાળકોને જોતી નથી, તેમ શ્રાદ્ધજિતકલ્પની વૃત્તિના “વસ્ત્રાદિ પદમાંના “આદિથી શું ગ્રહણ કરવું? એ અધ્યાહારવાળા લખાણમાંથી સાચું પદ શોધતી વખતે ભલે કલ્પના દોડાવીએ, પરંતુ દ્રવ્યસપ્તતિકા અને હીરપ્રશ્નાનુવાદ ગ્રંથ તથા પરંપરાથી સ્પષ્ટ લખાણ મળ્યા પછી ખોટા વિકલ્પો કરવા, એ કેટલું ઉચિત છે, તે વાચકો સ્વયં વિચારે.
બીજી એક વાત ખાસ નોંધનીય છે કે, જેઓ ગુરુપૂજનને વિહિત માનતા નથી અને પુરાતન શાસ્ત્રોમાં એના ઉલ્લેખ નથી, માત્રદષ્ટાંતોના જોરે ચાલી પડેલી પ્રવૃત્તિ માને છે, તે લોકોપુરાતન એવા શ્રાદ્ધજિતકલ્પનીટીકામાંના વસ્ત્રાદિ પદમાંના આદિ પદથી ગુરુપુજાનું સુવર્ણાદિદ્રવ્ય જ ટીકાકાર કહેવા માંગે છે, તેવું કઈ રીતે કહી શકે? એ જ મોટું આશ્ચર્ય છે. આવી બેધારી નીતિ કેમ અપનાવી પડી છે? તે વાચકો સ્વયં વિચારે. શું ગુરુપૂજનના પૈસા ઉપર નજર તો બગડી નથી ને!
– અહીં હીરપ્રશ્નાનુવાદ ગ્રંથની પૃ. ૮૮ ઉપરની ટિપ્પણી-પપ પણ ઉલ્લેખનીય છે. એમાં પૂ.આ.ભ.શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મ.સા અને