Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
આચરિત-કલ્પિત અને નિર્માલ્ય તેમજ આદિ પદથી જીર્ણોદ્ધાર આદિ પ્રકાર પણ છે. તેમજ ભંડાર, નવનિર્માણ આદિ વગેરે પણ દેવદ્રવ્યનાં પ્રકાર ‘આદિ’ પદથી ગણી શકાય.
૨૧૨
(૩) વળી, આ ધા.વ.વિ.ની વ્યાખ્યામાં સ્પષ્ટતા ન હોવાને કારણે બોલી આદિનાં શુદ્ધ દેવદ્રવ્યને કલ્પિતમાં અને કલ્પિત દેવદ્રવ્યને શુદ્ધ બોલી આદિનાં દ્રવ્ય ગણીને અનેક જગ્યાએ ભેળસેળ કરવી પડી છે. એ બધું જુદું પાડીને લખતાં તે વિવેચનના ધાર્મિક વહીવટ વિચાર' જેવા ત્રણ પુસ્તક થઈ જાય.
(૪) અહીં ઉલ્લેખનીય છે કે, સમ્મેતશિખરજી તીર્થરક્ષામાં શેઠ આણંદજી કલ્યાણજી પેઢી પાસે દેવદ્રવ્ય ઘણું હોવા છતાં રક્ષા માટે સ્વદ્રવ્ય વાપરવું તે પ્રથમ કર્તવ્ય છે. તેમ સમજી શ્રી શ્રેણિકભાઈ આદિએ પણ સારી રકમો લખાવી હતી અને શ્રી સંઘો પણ તેમાં વરસી પડ્યા હતા. તે જ દેવદ્રવ્યની પવિત્રતા અને તેના ઉપર શ્રી સંઘનું બહુમાન સૂચવે છે.
મુદ્દા નં. (૮) પેજ નં. ૬૫
“સ્વપ્ન દ્રવ્ય. દેવદ્રવ્યનાં ત્રણ પ્રકારમાં કયા સ્વરૂપનું દેવદ્રવ્ય બને ?
આ સવાલનો જવાબ વિ. સં. ૨૦૪૪ની સાલનાં સંમેલનીય ગીતાર્થ જૈનાચાર્યોએ સર્વાનુમતે એવો આપ્યો છે કે તે કલ્પિત દેવદ્રવ્ય બને. પૂર્વના કાળમાં આ ઉછામણી હતી નહીં પરંતુ છેલ્લા બે સૈકામાં આ પ્રથા શરૂ થઈ. સંબોધ પ્રકરણ ગ્રંથમાં પૂ. હરિભદ્રસૂરિજી મહારાજાએ કહ્યું છે કે જિન ભક્તિ નિમિત્તે આચરણો દ્વારા પ્રાપ્ત થયેલ દેવદ્રવ્યને કલ્પિત દેવદ્રવ્ય કહેવાય. તે રકમનો ઉપયોગ ઉપર્યુક્ત બાબતોમાં થાય છે. તથા જીર્ણોદ્વારાદિમાં પણ જાય.’’
સમાલોચના ઃ
(૧) દ્રવ્યસપ્તતિકા - શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોએ અને સં. ૧૯૭૬૧૯૯૦-૨૦૧૪ના શ્રમણ સંમેલને સ્વપ્નાદિકની ઉછામણી દેવદ્રવ્યની વૃદ્ધિ માટે છે, એમ સ્પષ્ટ જણાવ્યું છે. તે પણ કલ્પિત દેવદ્રવ્ય નહીં,