Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
૨૧૦
એમને આપવાના હોતા નથી, પરંતુ ત્યાં જઈને જે ભક્તિ કરે, તે પોતાના દ્રવ્યથી જ કરે પરંતુ દેવદ્રવ્યથી નહીં. કારણ કે, શાસ્ત્ર અને પરંપરાની એમાં મંજૂરી નથી અને શાસ્ત્ર-પરંપરાની મર્યાદાનું શ્રાવકાદિ ઉલ્લંઘન કરે તો પાપમાં પડ્યા વિના રહે નહીં.
-
- મુદ્દા નં-૪ : ધા.વ.વિ.ના રૃ. ૨૦ ઉપર લખ્યું છે કે,
“કલ્પિત દેવદ્રવ્ય નિભાવ માટે કલ્પેલી કાયમી નિધિરૂપ રકમ તથા સ્વપ્નાના ચઢાવા, ઉપધાનની માળની, સંઘમાળની, વરઘોડાની, ઉછામણી વગેરેની રકમ.”
– સમાલોચના :- સંબોધ પ્રકરણના ગ્રંથકારશ્રીએ આવી કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યા કરી જ નથી અને લેખકશ્રીએ પોતાના પુસ્તકના પૃ. ૧૫૯ (૩.૧) ઉપર જણાવેલી વ્યાખ્યાથી પણ આ વિરુદ્ધ છે.
મુદ્દા નં.-૫ : પૃ. ૨૦ ઉપર લખે છે કે,
‘‘કલ્પિત દેવદ્રવ્યની રકમ જિનપ્રતિમા અને જિનમંદિર અંગેના તમામ કાર્યો, કેસરાદિ લાવવું, અજૈન ગુરખા પૂજારીને પગાર આપવા, દીવાબત્તીનો ખર્ચ કાઢવો વગેરેમાં વાપરી શકાય. હા, આ ખાતાની રકમ જીર્ણોદ્ધાર નૂતન જિનમંદિરમાં પણ વાપરી શકાય (પેજ નં. ૨૦)
સમાલોચના - કલ્પિત દ્રવ્યની લેખકશ્રીના પુસ્તકના પેજ ૧૬૧માં જે વ્યાખ્યા છે, તેમાંથી તો અજૈન જ નહીં, પણ જૈન પૂજારીને પણ પગાર આપી શકાય. પરંતુ પેજ ૧૫-૨૦માં ચઢાવાનું દ્રવ્ય કલ્પિતમાં ઘાલીને આ દ્રવ્યને કલંકિત કર્યું છે અને તેથી જ તેમનાં કલ્પેલા કલ્પિત દ્રવ્યમાંથી કેશર-૫ગારાદિની કલ્પના કલ્પના જ છે. પૂ.હરિભદ્રસૂ.મ.ના નામે જુઠ્ઠાણું ચલાવ્યું છે.
મુદ્દા નં. ૬ : પેજ નં. ૨૧ -
‘‘હાલ જે દ્રવ્ય દેવકુ સાધારણ કહેવાય છે તે પણ યથાયોગ્ય પૂજા કે કલ્પિત
કે