Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૭ : કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
૭ સુધીમાં વિચારી ગયા છીએ. તેનો સાર એ છે કે -
(૧)
શ્રાવકે પ્રભુપૂજા સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ.
(૧/૧) શ્રાવક દેવદ્રવ્યસામાન્યથી પૂજા કરી શકે નહીં. દેવદ્રવ્યના પેટાભેદોનો વિચાર કર્યા પછી જ કયા દ્રવ્યથી પૂજા થાય અને કયાથી ન થાય તે નક્કી થાય.
૨૩૩
(૧/૨) શ્રાવક પૂજાદેવદ્રવ્યથી પૂજા કરી શકે છે. પરંતુ મુખ્યપણે તો શ્રાવકે સ્વદ્રવ્યથી પૂજા કરવી જોઈએ. પૂજાદેવદ્રવ્યથી એ પૂજા કરે તો એણે શક્તિ અનુસારે એ ખાતામાં ફાળો આપવો જ જોઈએ, કે જેથી શાસ્ત્રકારોની સ્વદ્રવ્યથી પૂજા કરવાની આજ્ઞાનું પાલન થાય. વર્તમાનમાં પ્રસિદ્ધ ‘જિનભક્તિ સાધારણ દ્રવ્ય’ને પૂજાદેવદ્રવ્ય કહી શકાય છે.
(૧/૩) શ્રાવક કલ્પિતદેવદ્રવ્યથી પૂજા કરી શકે છે. પરંતુ કલ્પિત દેવદ્રવ્યમાં પ્રભુસમક્ષ મૂકેલા ભંડારની રકમ અને પ્રભુભક્તિસ્વરૂપે બોલાતી સ્વપ્નાદિકની ઉછામણીની રકમનો સમાવેશ થયેલો ન હોવો જોઈએ. વર્તમાનમાં પ્રસિદ્ધ ‘જિનમંદિર સાધારણ’ને કલ્પિત દેવદ્રવ્ય કહી શકાય છે. આની આવકનો સ્રોતો પ્રકરણ-૧૧માં જણાવેલ છે. (૧/૪) શ્રાવક નિર્માલ્ય દેવદ્રવ્યથી જિનપૂજા ન કરી શકે. નિર્માલ્ય દેવદ્રવ્યથી બનાવેલા પ્રભુના આભૂષણો યોગ્ય નકરો દેવદ્રવ્યમાં જમા કરાવીને પ્રભુને ચઢાવી શકે.
(૧/૫) શ્રાવક વર્તમાનમાં પ્રસિદ્ધ એવા શુદ્ધ દેવદ્રવ્યમાંથી પ્રભુપૂજા કરી શકે નહીં.
(૧/૬) શ્રાવકને સ્વકર્તવ્યરૂપ જિનપૂજા શક્તિ અનુસારે સ્વદ્રવ્યથી કરવાનું શાસ્ત્રકારો કહે છે. આથી શ્રાવકે પરદ્રવ્યથી જિનપૂજાનું કર્તવ્ય સેવવું જોઈએ નહીં. સંઘમાં શ્રાવકો દ્વારા ભેગા કરેલા