SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ - ૭ : કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા ૭ સુધીમાં વિચારી ગયા છીએ. તેનો સાર એ છે કે - (૧) શ્રાવકે પ્રભુપૂજા સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ. (૧/૧) શ્રાવક દેવદ્રવ્યસામાન્યથી પૂજા કરી શકે નહીં. દેવદ્રવ્યના પેટાભેદોનો વિચાર કર્યા પછી જ કયા દ્રવ્યથી પૂજા થાય અને કયાથી ન થાય તે નક્કી થાય. ૨૩૩ (૧/૨) શ્રાવક પૂજાદેવદ્રવ્યથી પૂજા કરી શકે છે. પરંતુ મુખ્યપણે તો શ્રાવકે સ્વદ્રવ્યથી પૂજા કરવી જોઈએ. પૂજાદેવદ્રવ્યથી એ પૂજા કરે તો એણે શક્તિ અનુસારે એ ખાતામાં ફાળો આપવો જ જોઈએ, કે જેથી શાસ્ત્રકારોની સ્વદ્રવ્યથી પૂજા કરવાની આજ્ઞાનું પાલન થાય. વર્તમાનમાં પ્રસિદ્ધ ‘જિનભક્તિ સાધારણ દ્રવ્ય’ને પૂજાદેવદ્રવ્ય કહી શકાય છે. (૧/૩) શ્રાવક કલ્પિતદેવદ્રવ્યથી પૂજા કરી શકે છે. પરંતુ કલ્પિત દેવદ્રવ્યમાં પ્રભુસમક્ષ મૂકેલા ભંડારની રકમ અને પ્રભુભક્તિસ્વરૂપે બોલાતી સ્વપ્નાદિકની ઉછામણીની રકમનો સમાવેશ થયેલો ન હોવો જોઈએ. વર્તમાનમાં પ્રસિદ્ધ ‘જિનમંદિર સાધારણ’ને કલ્પિત દેવદ્રવ્ય કહી શકાય છે. આની આવકનો સ્રોતો પ્રકરણ-૧૧માં જણાવેલ છે. (૧/૪) શ્રાવક નિર્માલ્ય દેવદ્રવ્યથી જિનપૂજા ન કરી શકે. નિર્માલ્ય દેવદ્રવ્યથી બનાવેલા પ્રભુના આભૂષણો યોગ્ય નકરો દેવદ્રવ્યમાં જમા કરાવીને પ્રભુને ચઢાવી શકે. (૧/૫) શ્રાવક વર્તમાનમાં પ્રસિદ્ધ એવા શુદ્ધ દેવદ્રવ્યમાંથી પ્રભુપૂજા કરી શકે નહીં. (૧/૬) શ્રાવકને સ્વકર્તવ્યરૂપ જિનપૂજા શક્તિ અનુસારે સ્વદ્રવ્યથી કરવાનું શાસ્ત્રકારો કહે છે. આથી શ્રાવકે પરદ્રવ્યથી જિનપૂજાનું કર્તવ્ય સેવવું જોઈએ નહીં. સંઘમાં શ્રાવકો દ્વારા ભેગા કરેલા
SR No.023019
Book TitleDharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Original Sutra AuthorN/A
AuthorSanyamkirtivijay
PublisherSamyaggyan Pracharak Samiti
Publication Year2015
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy