Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૨૪૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
સિદ્ધસેન દિવાકરજી મહારાજને (વિક્રમ) રાજાએ એક કરોડ આપ્યા
હતા.”
↑ “અગ્રપૂજા રૂપ આ દ્રવ્ય તેઓની આજ્ઞાથી તે વખતના શ્રી સંઘે જીર્ણોદ્ધારમાં વાપર્યું હતું.”
↑ અહીં વિચારવા જેવું એ છે કે -
તક્રકૌડિન્ય ન્યાયથી – ભોજ્ય-ભોજકપણાના સંબંધે કરીને-ભોગવવા યોગ્ય-વાપરવા યોગ્ય અને વાપરનારના સંબંધે કરીને-ઔઘિક ઉપધિની જેમ (સુવર્ણાદિક પૂજાદ્રવ્ય) ગુરુદ્રવ્ય બની શકતું નથી.
(મુનિ મહાત્માઓની ઉપધિ બે પ્રકારની હોય છે. મુહપત્તિ-રજોહરણ વગેરે ઔદ્યિક ઉપધિ કહેવાય છે અને બીજાં કેટલાંક સાધનો કારણે રાખવાં પડે, તે ઔપગ્રહિક સહાયક-ઉપધિ કહેવાય છે. તેમાં ઔધિક મુખ્ય છે. ઔઘિક ઉપધિ ભોજ્ય-ભોજક સંબંધે ગુરુદ્રવ્ય છે. તેવા સંબંધથી સુવર્ણાદિક પૂજાદ્રવ્ય ગુરુદ્રવ્ય બની શકતું નથી.)
પરંતુ પૂજ્યની પૂજાના સંબંધે તે (સુવર્ણાદિક) ગુરુદ્રવ્ય થાય જ છે. જો તેમ સમજવામાં ન આવે તો શ્રાદ્ધજિતકલ્પની વૃત્તિ સાથે વિરોધ આવે છે.
♦ શ્રી જીવદેવસૂરિજીની પૂજા માટે મલ્લ શેઠે અડધો લાખ દ્રવ્ય આપ્યું હતું, તેથી શ્રી આચાર્ય મહારાજાએ જિનમંદિર વગેરે કરાવરાવ્યાં હતાં.
♦ ધારા નગરીમાં લઘુભોજ રાજાએ વાદીવેતાળ શ્રી શાંતિસૂરિ મહારાજને બાર લાખ, સાઠ હજાર દ્રવ્ય આપ્યું હતું. તેમાંથી ગુરુ મહારાજાએ બાર લાખના ખર્ચે માળવા દેશમાં દહેરાસરો કરાવરાવ્યાં હતાં અને સાઠ હજાર દ્રવ્યના ખર્ચે થરાદમાં દહેરાસર અને દેરીઓ વગેરે
૧. (ઔદ્યિક ઉપધિ-એ સામાન્યથી ચૌદ પ્રકારે છે અને ઔપગ્રહિક ઉપધિજ્ઞાનાદિકના પોષણ માટે જરૂરી એટલે સંયમમાં સહાય માટે કારણસર રાખવી જરૂરી હોય, તેવી ઉપધિ.) ૨. (વાદીવેતાલ શ્રી શાંતિસૂરિજીને).