Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૮ ગુરુદ્રવ્ય અંગે વિચારણા
૨૫૫ વિનિયોગ અંગે પણ ગ્રંથો અને પરંપરા સ્પષ્ટ જ છે. આથી ધાર્મિક વહીવટ વિચારની વાતો તદ્દન શાસ્ત્રનિરપેક્ષ છે.
(D) દ્રવ્યસપ્તતિકા ગ્રંથના પૂર્વોક્ત પાઠમાં “પૂજ્યની પૂજાના સંબંધે તે (સુવર્ણાદિક) ગુરુદ્રવ્ય થાય જ છે, જો તેમ સમજવામાં ન આવે તો શ્રાદ્ધજિતકલ્પની વૃત્તિ સાથે વિરોધ આવે છે.” આવા સ્પષ્ટ લખાણથી એ ફિલિત થાય છે કે,
(4) દ્રવ્યસપ્તતિકાકારશ્રીને સુવર્ણાદિ ગુરુદ્રવ્યનો વિનિયોગ બતાવતી વખતે શ્રાદ્ધજીતકલ્પની ૬૮મી ગાથા મનમાં ઉપસ્થિત જ હતી અને તેઓએ આ જ ગ્રંથમાં આગળ શ્રાદ્ધજીતકલ્પની ૬૮મી ગાથાને ૫૮મી ગાથા તરીકે મૂકીને ગુરુદ્રવ્યનો શ્રાવક ઉપયોગ કરે તો શું પ્રાયશ્ચિત્ત આવે તે બતાવ્યું જ છે.
ii) આથી દ્રવ્યસપ્તતિકાકારને સુવર્ણાદિ ગુરુદ્રવ્યનો ઉપયોગ બતાવતી વખતે શ્રાદ્ધજીતકલ્પની ૬૮મી ગાથા ઉપસ્થિત નહોતી, એવું કહેવું લેશમાત્ર ઉચિત નથી.
(૩) એટલે શ્રાદ્ધજીતકલ્પની ૬૮મી ગાથાની ટીકાનું અર્થઘટન એવું ન કરી શકાય, કે જેનો દ્રવ્યસપ્તતિકા ગ્રંથના પૂર્વનિર્દિષ્ટ વિધાન સાથે વિરોધ આવે.
(૪) આથી “શ્રાદ્ધજીવકલ્પ' ગ્રંથની ૬૮મી ગાથાની ટીકાના નામે જેટલા પણ કુતર્કો થયા હોય તે ખોટા છે, એમ સમજવું. (જેની વિશેષ વિચારણા આગળ કરીશું.).
(E) શ્રીદ્રવ્યસપ્તતિકાકારશ્રી ગુરુપૂજાના દ્રવ્યના વિનયોગની ચર્ચાનો ઉપસંહાર કરતાં પુનઃ સ્પષ્ટતા કરતાં લખે છે કે,
"तद्-धनं च गौरवार्हस्थाने पूजासम्बन्धेन प्रयोक्तव्यम्, न तु જિનાજ્ઞાયામ '
અર્થ - અને તે (ગુરુ મહારાજની અંગ અને અગ્રપૂજાના) દ્રવ્યનો