Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૮ઃ ગુરુદ્રવ્ય અંગે વિચારણા
૨૫૭ (૧) જો સામાન્યજનની અપેક્ષાએ “ગૌરવાઈ સ્થાન નક્કી કરવાનું હોય, તો સકલ શ્રીસંઘ ગૌરવાઈ જ છે અને તેનો અર્થ કરતાં તો ગુરુપૂજાનું દ્રવ્ય શ્રાવક-શ્રાવિકાના ઉપયોગમાં પણ વાપરી શકવાની આપત્તિ આવશે. કારણ કે, તે પણ ગૌરવાઈ જ છે.
(૨) હવે જો શ્રાવકની અપેક્ષાએ લઈએ તો દેવ-ગુરુ ગૌરવાહ છે અને (૩) સાધુની અપેક્ષાએ લઈએ તો દેવ એ ગૌરવાર્ય છે. આ ત્રણમાંથી કોની અપેક્ષાએ ગૌરવાહ સ્થાન ગ્રહણ કરવું એ ગ્રંથમાં સ્પષ્ટ કર્યું નથી. પરંતુ ગુરુપૂજાના દ્રવ્યનો ઉપયોગ કયાં કરવો એ પહેલાંથી જ સ્પષ્ટ કરી દીધેલ છે અને ઉપયોગ માટે જણાવેલા વિધાનથી સ્પષ્ટ બને છે કે, ગ્રંથકારશ્રીને સાધુની અપેક્ષાએ ગૌરવાર્ય સ્થાન ઈષ્ટ છે અને સાધુની અપેક્ષા ગૌરવાર્ય સ્થાન દેવ જ આવે છે. વળી, પોતે પોતાના માટે ગૌરવાહ સ્થાન ક્યારેય બની ન શકે, તેથી શું સાધુ-સાધ્વી ગૌરવા નથી? આવો પ્રશ્ન કરવો જ અસ્થાને છે. આથી ગૌરવાઈ સ્થાન તરીકે દેવ” ક્ષેત્ર જ ગ્રહણ કરી શકાય. એટલે દેવસંબંધી કાર્યમાં એ દ્રવ્યનો ઉપયોગ થાય તથા બીજી સ્પષ્ટતા કરી છે કે, એ દ્રવ્યનો ઉપયોગ બહુમાન ભંગ થવાનો ભય હોવાથી શ્રીજિનની અંગ પૂજામાં વાપરી ન શકાય અને તેથી બાકી રહેલા જિનાલય, જીર્ણોદ્ધાર અને નૂતન ચૈત્યના નિર્માણમાં વાપરી શકાય. તદુપરાંત, શ્રાદ્ધજીવકલ્પમાં તે દ્રવ્યને સાધુવૈયાવચ્ચમાં વાપરવાનું કહ્યું જ નથી, કે જેથી એવો અર્થ કરીએ તો જ શ્રાદ્ધજીત કલ્પના પાઠનો સત્કાર થઈ શકે. શ્રાદ્ધજીતકલ્પનો પાઠ અને તેનો રહસ્યાર્થ:श्राद्धजितकल्पवृत्ति - अथ यतिद्रव्यपरिभोगे प्रायश्चित्तमाहमुहपत्तिआसणाइसु भिन्नं जलन्नाईसु गुरुलहुगाइ । जइदव्वभोगि इय पुण वत्थाइसु देवदव्वं वा ॥६८॥ ટીકા :- મુવાિવાડડનાશયનાવિષ, અર્થાત્ ગુરુતિષ