Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
-
પ્રકરણ - ૮ : ગુરુદ્રવ્ય અંગે વિચારણા
૨૪૯
કરાવરાવ્યાં હતાં. અહીંયાં આ વિષે વિસ્તારથી સમજવા માટે તે તે પ્રબંધોમાંથી જાણી લેવું.
ૐ તથા, વૃદ્ધપુરુષોની વાત સંભળાય છે કે
-
“શ્રી સુમતિસાધુ મહારાજશ્રીના સમયે માંડવગઢમાં શ્રાવકોના પરિચયથી જૈન ધર્મ તરફ આદર રાખનારા શ્રી માફર નામના મલ્લિક॰ બાદશાહે સોનાના ટંકો (સિક્કા)થી ગીતાર્થ ગુરુઓની પૂજા કરી હતી.’’
(ગૃહસ્થ ગુરુ પાસે પહેલાં બાળકનું નામ પાડવામાં આવે અને પછી તેમાં ગુરુ મહારાજની આજ્ઞારૂપ સંમતિ લેવામાં આવે.)
ૐ બાળકનાં નામ પાડવાને વખતે બાળક સહિત શ્રાવક ઘરેથી આવીને ઉપાશ્રયમાં રહેલા ગુરુ મહારાજને વંદના કરીને, સોના કે રૂપાના નવ સિક્કાથી ગુરુ મહારાજની નવ અંગે પૂજા કરીને, ઘરના (ગૃહસ્થ) ગુરુ અને દેવની સાક્ષીએ જે નામ પાડ્યું હોય, તે (ગુરુ મહારાજને) નિવેદન કરે છે, પછી ગુરુ મહારાજ ઉચિત મંત્રે વાસક્ષેપ મંત્રીને ૐકાર વગેરેના ન્યાસ (સ્થાપના)પૂર્વક પોતાની સાક્ષીપૂર્વકની બાળકના નામની સ્થાપના પોતાની આજ્ઞાપૂર્વકની બનાવે છે.
♦ “તથા” બે વાર, અથવા ત્રણ વાર, તથા આઠ પ્રકાર વગેરે પ્રકારે પૂજા કરવી,
દહેરાસરમાં સંપૂર્ણ દેવવંદન કરવું.
સર્વ દહેરાસરોમાં પૂજા કરવી અને વંદન કરવું.
સ્નાત્ર મહોત્સવ કરવો, મહાપૂજા રચાવવી, પ્રભાવના વગેરે કરવી, ગુરુ મહારાજને મોટું વંદન, ગુરુ મહારાજાની અંગપૂજા, પ્રભાવના, તેમની આગળ સ્વસ્તિકની રચના, તેમનું વ્યાખ્યાન સાંભળવું.
ખાસ કરીને ઇત્યાદિ નિયમો વર્ષા ચાતુર્માસમાં ગ્રહણ કરવા જોઈએ. ૧. (મલેક).