Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૭ : કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
૨૩૫
૨કમ શાસ્ત્ર અને પરંપરા અનુસારે શુદ્ધદેવદ્રવ્યમાં જ જાય છે. તેનો સમાવેશ કલ્પિત દેવદ્રવ્યમાં ક્યારેય ન થાય.
(૨/૧) કલ્પિત દેવદ્રવ્ય એટલે વર્તમાનમાં પ્રસિદ્ધ જિનમંદિર સાધારણ દ્રવ્ય. આથી બોલીની ૨કમ કલ્પિત દેવદ્રવ્યમાં લઈ જવાનું કહેવું એટલે સાધારણમાં લઈ જવા બરાબર જ છે. તેનાથી શ્રીસંઘોશ્રાવકો દેવદ્રવ્યના દુરુપયોગ-ભક્ષણના મહાપાપમાં પડે છે.
(૩) પૂજારીનો પગાર પ્રસિદ્ધ શુદ્ધ દેવદ્રવ્યમાંથી આપી શકાય નહીં. પૂજારી શ્રાવકોની અનુકૂળતા માટે રખાતો હોવાથી તેને શ્રાવકોએ જ પગાર આપવો જોઈએ, એવું શાસ્ત્રાનુસારી પરંપરા કહે છે. (૩/૧) પૂજાદેવદ્રવ્ય અને નિર્માલ્ય દેવદ્રવ્યમાંથી પૂજારીને પગાર ન આપી શકાય. પરંતુ કલ્પિત દેવદ્રવ્યમાંથી પૂજારીને પગાર આપી શકાય. પરંતુ કલ્પિત દેવદ્રવ્યમાં પ્રભુ સમક્ષ મૂકેલા ભંડારની આવક અને સ્વપ્નાદિકની ઉછામણીની રકમનો સમાવેશ થતો ન હોવો જોઈએ.
(૩/૨) શ્રાવકોએ સ્વયં સ્થાયી ફંડ (કોષ) તરીકે ઉભા કરેલા કલ્પિત દેવદ્રવ્યમાંથી જૈન અને અજૈન બંને પૂજારીને પગાર આપી શકાય છે. પરંતુ કલ્પિત દેવદ્રવ્યમાં સ્વપ્નાદિકના ઉછામણીની ૨કમ અને પ્રભુના ભંડારની આવક સમાયેલી ન હોવી જોઈએ. (૩/૩) વાસ્તવમાં તો પૂજારીનો પગાર શ્રાવકોએ પોતે આપવો જોઈએ. (૪-૪/૧) ઉપદેશપદાદિ ગ્રંથોના ‘મતિ ત્તિ રેવદ્રવ્યું....’ વગેરે શાસ્ત્રપાઠો
દેવદ્રવ્યસામાન્યથી (અર્થાત્ દેવદ્રવ્યના પેટાભેદ પાડ્યા વિના દેવદ્રવ્યસામાન્યથી) પ્રભુપૂજા-સ્નાત્રાદિ કરવાની રજા આપતા નથી. પરંતુ સંકલ્પિત દેવદ્રવ્યથી (કે જે વાસ્તવમાં શ્રાવકે પ્રભુભક્તિ માટે અલગ રાખેલું કે સંઘને આપેલું સ્વદ્રવ્ય જ છે,