Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૭ઃ કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
૨૩૧ બોલી તે રેવદ્રવ્યવૃધ્ધ પેન્દ્રી માના વા અન્ય નાના પ્રતિ એ શાસ્ત્રપાઠ મુજબ દેવદ્રવ્યની વૃદ્ધિ માટે તે માળા ગ્રહણ કરવાની છે અને તે દેવકુ સાધારણ કરવાની વાત તો શાસ્ત્રની નહીં પણ તમારા ઘરની છે અને ઉપજાવી કાઢેલી છે.
(૨) સ્વપ્નાદિકની બોલી જિન મંદિરના સર્વકાર્યોના નિર્વાહ માટે ઉભી કરી એવું જે લખ્યું છે, તે તમારી કલ્પના છે. દેવદ્રવ્યની વૃદ્ધિ માટે ઇંદ્ર માળા અને ઉપલક્ષણથી સ્વપ્નાદિની બોલી છે અને તે ચ્યવન કલ્યાણકને ઉદ્દેશીને છે.
(૩) સ્વપ્નાદિકની બોલી અને પૂજાની સામગ્રી પ્રાપ્ત કરાવવાની બોલી અને તેનાથી પ્રાપ્ત દ્રવ્ય વચ્ચેનો તફાવત આગળ જણાવ્યો જ છે.
મુદ્દા નં.-૨૦ઃ (પેજ નં. ૧૭૭) “આથી જ બોલીની રકમ કલ્પિત દેવદ્રવ્યમાં જ ગણવી પડે તેમ લાગે છે.” સમાલોચના:
(૧) લેખકશ્રી પોતાના પુસ્તકમાં સ્વકપોલકલ્પિત ઘણી ચર્ચા કર્યા પછી અંતે, “બોલીની રકમ કલ્પિત દેવદ્રવ્યમાં જ ગણવી પડે તેમ લાગે છે” આવું લુલું લુલું લખે છે, તે જ બતાવે છે કે, તેમને આ લખતી વખતે પૂર્વે (પોતાના પુસ્તકોમાં અને પ્રવચનોમાં) જોરશોરથી પ્રરૂપેલી વાતો પણ ત્યારે યાદ આવી જાય છે અને એથી જ મનમાં ક્ષોભ અનુભવી રહ્યા હોય તેમ લાગે છે. આ ક્ષોભ દૂર કરવાનો ઉપાય એક જ છે કે, તમારા પૂ. પૂર્વજોની સાચી વાતને પાછી અંગીકાર કરી લો અને તેમાં જ સૌ કોઈનું હિત છે. લેખકશ્રીની ગેરહાજરીમાં તેમનો સમુદાય આ જરૂર કરી શકે છે અને એ જ સાચી શ્રદ્ધાંજલી બનશે.
મુદ્દા નં. - ૨૧: સામાપક્ષના જ માન્ય સ્વ. આ. શ્રી રવિચંદ્રસૂ. મ. સાહેબે કલ્યાણના જુલાઈ