Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૬૨.
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ભાવપૂજાને અનુસરનારી ત્રણ નિસીપી વગેરે જે જે વિધિ કહી છે, તે વિધિ સામાન્ય શ્રાવક માટે પણ તે પ્રમાણે જ જાણવી. (૭૭-૭૮)
૪) નિધન શ્રાવકને પુષ્પાદિ સામગ્રીના અભાવે વિધિ કહે છે– द्रव्यपूजायां पुष्पादिसामग्र्यभावात् संभवद्विधिमाहकाएण अत्थइ जइ, किंचि कायव्वं जिणमंदिरे। तओ सामाइयं मुत्तुं, करेज्ज करणिज्जयं ॥७९॥
कायेन शरीरेणास्ति यदि किंचित्पुष्पादिशोधा पुष्पग्रंथ )नादि कर्तव्यं जिनमंदिरे ततः सामायिकत्यागेन द्रव्यस्तवो विधीयते ? अत्रोच्यते, सामायिकं सकलकालमप्यस्य स्वायत्तत्वात् यत्र यत्र, वा क्षणेषु बहुशोऽपि कर्तव्यं स्यात्, चैत्यकर्तव्यं तु समुदायायत्तत्वात् कादाचित्कं प्रस्तावे च तस्मिन् क्रियमाणे विशेषपुण्यसद्भावात् तदेव कर्तव्यं यदागमः-जीवाण बोहिलाभो सम्मदिट्ठीण होई पियकरणं । आणा जिणिंदभत्ती तित्थस्स पभावणा चेव ॥१॥ इत्यादयोऽनेकगुणाश्चैत्यकृत्यकरणे ॥७९॥
સારાંશ સામાન્યશ્રાવક પાસે પુષ્પ વગેરે સામગ્રી ન હોવાથી સામાન્યશ્રાવકને આશ્રયીને સંભવિત વિધિને સૂત્રકારશ્રી) કહે છે
જિનમંદિરમાં શરીરથી થઈ શકે તેવું પુષ્પોને ગુંથવા વગેરે કોઈ કાર્ય હોય તો સામાયિક પારીને તે કાર્ય કરે.”
પ્રશ્નઃ સામાયિક ભાવપૂજા છે. પુષ્પો ગુંથવા વગેરે દ્રવ્યપૂજા છે. દ્રવ્યપૂજા કરતાં ભાવપૂજા ઉત્તમ છે. તો અહીં ભાવપૂજારૂપ સામાયિકને છોડીને દ્રવ્યપૂજા કરવાનું કેમ કહ્યું? ઉત્તરઃ સામાયિક તો બીજા કાળે પણ કરી શકાય છે અને પોતાને આધીન છે. વળી, જ્યારે જ્યારે સમય મળે ત્યારે ઘણીવાર પણ કરવા યોગ્ય છે. જ્યારે જિનમંદિરનું કાર્ય તો સમુદાયને (સમૂહને) આધીન છે અને કોઈક અવસરે જ થઈ શકે તેવું છે. અવસરે કરેલા જિનમંદિરના કાર્યથી વિશેષ પુણ્ય થાય એમ આગમમાં કહ્યું છે. કહ્યું છે કે – “પ્રસંગોચિત દ્રવ્યપૂજા કરવાથી જીવોને સમ્યક્ત્વની પ્રાપ્તિ