Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૨૦૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા ઉછામણી (બોલી)ની રકમનો સમાવેશ કર્યો નથી. જ્યારે સંમેલનના ઠરાવ-૧૩માં અને ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકમાં “કલ્પિત દેવદ્રવ્યમાં ઉછામણીની રકમનો સમાવેશ કર્યો છે.
(૩) વળી, એ પક્ષે “કલ્પિત દેવદ્રવ્યમાં ઉછામણીની રકમનો સમાવેશ કર્યો, તે માટે કોઈ શાસ્ત્રનો-પરંપરાનો આધાર મૂક્યો નથી.
(૪) પૂ.આ.શ્રી સાગરાનંદસૂરિજી મ. સાહેબે “જિનેશ્વર મહારાગ વધી भक्ति के निमित्त होती हुई बोली का द्रव्य दूसरे किसी में भी नहीं लग સત્તા” આ પૂર્વે જણાવ્યા મુજબના) પોતાના વિધાનમાં કલ્પિતદેવદ્રવ્યમાં બોલીના દ્રવ્યનો સમાવેશ કરવાનો સ્પષ્ટ નિષેધ કર્યો છે. વળી, તેઓશ્રી બોલીના દ્રવ્યને સંબોધપ્રકરણમાં નિર્દિષ્ટ ત્રણ પ્રકારના દેવદ્રવ્યમાં સમાવતા નથી, પરંતુ તેને અલગ રાખે છે.
(૫) વિ.સં. ૨૦૪૪ પૂર્વે કોઈપણ પુસ્તકમાં કે કોઈપણ પૂ.આચાર્ય ભગવંતાદિની પ્રરૂપણામાં કે શ્રીસંઘમાં બોલીના દ્રવ્યને કલ્પિત દેવદ્રવ્યમાં લઈ જવાનું કહેવાતું નહોતું કે તેવી પ્રવૃત્તિ થઈ નથી.
(૬) જ્યારે જ્યારે બોલીના દ્રવ્યને શ્રાવકો દ્વારા કે કથિત સંઘ દ્વારા કલ્પિત દેવદ્રવ્યમાં લઈ જવાની હિલચાલ ચાલી હતી, ત્યારે ત્યારે પૂ.આચાર્ય ભગવંતોએ તેનો વિરોધ કરીને તે હિલચાલને અટકાવી હતી. તે અંગે થયેલા પત્રવ્યવહારો પરિશિષ્ટ-રમાં આપવામાં આવ્યા છે. તેમાં પૂજ્યપાદ પ્રેમસૂરિદાદાનો અને પૂ.આ.ભ.શ્રીસાગરાનંદસૂરિજી મ.સા.નો પણ પત્ર છે જ અને પૂ.બાપજી મહારાજાનો પણ પત્ર છે. વિશેષ જાણકારી માટે “સ્વપ્નદ્રવ્ય દેવદ્રવ્ય જ છે” પુસ્તકનું અવલોકન કરવું.
(૭) આથી સમજી શકાય છે કે, “ધાર્મિક વહીવટ વિચાર' પુસ્તકમાં કલ્પિત દેવદ્રવ્યની વ્યાખ્યામાં ભેળસેળ કરવામાં આવી છે. એ પ્રવૃત્તિ ગ્રંથ-ગ્રંથકાર અને સંઘના દ્રોહ સમાન છે.
(૮) “ધાર્મિક વહીવટ વિચાર’ પુસ્તકની એ વ્યાખ્યામાં થયેલી ભેળસેળ