Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૪ઃ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૦૧
૧૦૧
કરનાર નયની દેશના પણ તેઓ કરે છે.)
ટિપ્પણી - ગણિશ્રીના પૂર્વોક્ત વિધાનોનાં સંદર્ભમાં એમને પ્રશ્નો છે કે(૧) સ્યાદ્વાદ અનેકધર્માત્મક વસ્તુના સ્વરૂપને સમજવા માટે છે કે,
સમયાંતરે સમયાંતરે અનુકૂળતા મુજબ શાસ્ત્રપાઠોના મન ફાવે
તેવા અર્થઘટનો કરવા માટે છે? (૨) જો સ્યાદ્વાદથી ગમે તે દેશના પ્રમાણભૂત બની જતી હોય તો
મરીચિનો સંસાર કેમ વધ્યો હતો? (૩) શાસ્ત્રમાં જ્યાં જ્યાં અન્યનો વ્યવચ્છેદ કરવા માટે “જકારનો
નિર્દેશ કર્યો હોય છે, તે જ કાર શું સ્યાદ્વાદને માન્ય નથી? (૪) “જ'કાર જેની સાથે જોડાયો હોય તેના અસ્તિત્વની જોરદાર
તરફેણ કરે અને એ સિવાયના બાકીનાનો વ્યવચ્છેદ કરે, એ
તમને માન્ય છે કે નહીં? (૫) જિનપૂજા વિધિમાં શાસ્ત્રકારોએ “વદે વપૂન વિશ્વકર્થેળીવ
યથાશશિ વાય'માં સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાનું જણાવ્યું. ત્યાં “જકાર કોનો વ્યવચ્છેદ કરે છે? એ જણાવશો? શાસ્ત્રકારો જયારે શ્રાવકને સ્વકર્તવ્યરૂપે પૂજાની વિધિ બતાવતા હતા, ત્યારે “સ્વદ્રવ્યથી જ પૂજા કરવી” એવો એકાંત ઉપદેશ આપે છે અને ૧૯૯૦નું શ્રમણ સંમેલન “પરમાત્મા અપૂજ ન રહે અને મંદિર-મૂર્તિના કર્તવ્યનું બરાબર પાલન થાય એ માટે સ્વદ્રવ્ય-પદ્રવ્ય કે છેવટે દેવદ્રવ્યથી કરવું એવા ત્રણે વિકલ્પો આપે છે.” ત્યાં વિકલ્પવાળો ઠરાવ કરે છે - માર્ગદર્શન આપે છે? આમાં એકાંતઅનેકાંતની વ્યવસ્થા શું છે એ સમજાવશો? ૧૯૯૦ના સંમેલને તો તત્કાલીન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ભગવાન અપૂજ ન રહે તે માટે અપવાદિક માર્ગ બતાવ્યો. પરંતુ