Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૧૮૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા શુભ-શુભતર અતિશયિત પરિણામો ઊછળવા માંડ્યા. આ ઊછળતાં પરિણામોથી રોમાંચિત થયેલો તે જિનમંદિરોમાં સ્નાત્ર-પૂજા બલિવિધાન કરે છે, અઢાઈ મહોત્સવો કરાવે છે, અક્ષયનિધિઓ કરાવે છે, જીર્ણોદ્ધારો કરાવે છે. ૦ સ્પષ્ટીકરણ:(૧) પૂર્વોક્ત બંને શાસ્ત્રપાઠોના અર્થનું અવલોકન કરતાં એક સ્પષ્ટ તારણ
નીકળે છે કે, સંકાશનું સંસારના ઘરવ્યવહાર સિવાયનું શેષ ધન દેવદ્રવ્ય બન્યું છે અને તે પણ સંકાશના તેવા પ્રકારના સંકલ્પના કારણે દેવદ્રવ્ય બન્યું છે. પરંતુ પ્રભુસમક્ષ મૂકેલા ભંડારમાં અર્પણ કરવા વડે કે પ્રભુભક્તિ સ્વરૂપે બોલાયેલી ઉછામણી દ્વારા સંઘને
અર્પણ કરવા વડે સંકાશનું એ દ્રવ્ય દેવદ્રવ્ય બન્યું નથી. (૨) આથી સંકાશનું શેષધન સંકલ્પિત દેવદ્રવ્ય છે. પરંતુ સમર્પિત
દેવદ્રવ્ય નથી અને સંકલ્પિત દેવદ્રવ્યથી તો જિનાલયના સર્વે કાર્યો કરવા અમને માન્ય છે. તેથી સંકાશે કરેલા એ અનુષ્ઠાનો સ્વદ્રવ્યથી જ થયેલા હતા. પરંતુ સંકલ્પના યોગે જ એ સ્વદ્રવ્ય દેવદ્રવ્ય બન્યું
હતું.
(૩) સંકલ્પિત દેવદ્રવ્યથી જિનાલય અને જિનપૂજાદિ સિવાયના કાર્યો
ન થાય. પરંતુ જિનાલય અને જિનપૂજાદિ કાર્યો તો થઈ શકે છે. તે જ સંકલ્પિત દેવદ્રવ્યને શ્રાવકો મુંઝવણમાં ન પડે તે માટે
વર્તમાનમાં “જિનભક્તિસાધારણ' નામ આપવામાં આવેલ છે. (૪) ધા.વ.વિ.ના લેખકશ્રી અને પરિશિષ્ટકારશ્રી દેવદ્રવ્યના સંકલ્પિત
અને સમર્પિત આવા શાસ્ત્રસિદ્ધ ભેદો પાડ્યા વિના માત્ર
દેવદ્રવ્યથી જિનપૂજાદિ કરવાનું કહે છે, તે લેશમાત્ર ઉચિત નથી. (૫) આથી પૂર્વોક્ત બંને પાઠો તે પક્ષની માન્યતાથી જ વિરુદ્ધ જનારા
છે. છતાં પણ સમજ્યા વિના કે સમજીને તેઓએ એને આગળ