Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૬: બોલી-ઉછામણી શાસ્ત્રીય કે અશાસ્ત્રીય?
૧૯૩ પર્યુષણ પર્વના અષ્ટાલિંકા વ્યાખ્યાનમાં આવે છે. તે ૧૧ કર્તવ્યો પૈકીનું પાંચમું કર્તવ્ય દેવદ્રવ્યની વૃદ્ધિ અંગેનું છે. પૂ.આ.ભ. શ્રી વિ. લક્ષ્મસૂરીશ્વરજી મહારાજાએ સ્વરચિત “અાલિકા વ્યાખ્યાન” નામના ગ્રંથમાં અગીયાર કર્તવ્યોના વર્ણન વખતે પાંચમા કર્તવ્યના વર્ણનમાં નીચે મુજબ જણાવ્યું છે–
"तथा देवद्रव्यवृद्ध्यर्थं प्रतिवर्ष मालोद्धट्टनं कार्यम्, तत्र च ऐन्द्री अन्या वा माला ग्राह्या, श्रीरैवते श्वेताम्बरदिगम्बरसंघयोः समं प्राप्तयोः तीर्थविवादे च इन्दमालां परिधत्ते तस्येदं तीर्थमिति वृद्धौक्तौ साधुपेथडेन षट्पञ्चाशद्धटीस्वर्णेनेन्द्रमाला परिदधे, चतुर्द्धस्वर्णं मार्गणेभ्यो ददे, तीर्थं स्वं चक्रे, इत्यादि-शुभविधिना देवद्रव्यस्य वृद्धिः कार्येति पञ्चमं ત્યમ્ !'
સારાંશ : તથા દેવદ્રવ્યની વૃદ્ધિ માટે પ્રતિવર્ષ માલોદ્ઘાટન કરવું જોઈએ અને તેમાં ઈન્દ્રમાલા કે અન્યમાલા ગ્રહણ કરવી જોઈએ. “શ્રીગિરનારજી તીર્થ શ્વેતામ્બરોનું કે દિગંબરોનું?” આવો જયારે બંને સંઘમાં વિવાદ થયો, ત્યારે “જે ઈન્દ્રમાલા પહેરે તેનું આ તીર્થ થશે” આવું વૃદ્ધપુરુષોએ નક્કી કર્યું. વૃદ્ધપુરુષોના કથનથી ઇન્દ્રમાલા સંબંધી બોલીનો પ્રારંભ થયો અને એમાં પેથડશાહ મંત્રીશ્વરે પ૬ ઘડી સુવર્ણ બોલીને ઈન્દ્રમાલા પહેરવાનો લાભ લીધો હતો અને ઇન્દ્રમાળા પહેરી હતી અને ૪ ઘડી યાચકોને દાનમાં આપી હતી અને એ રીતે તીર્થને પોતાનું (શ્વેતાંબરોનું) કર્યું હતું. - ઇત્યાદિ શુભવિધિ દ્વારા દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી જોઈએ. – આ પ્રમાણે પાંચમું કર્તવ્ય જાણવું.
– આ રીતે ઉછામણી શાસ્ત્રીય આચરણા જ છે અને તેનું પ્રવર્તન દેવદ્રવ્યની વૃદ્ધિ માટે જ થયું છે. તે પૂર્વોક્ત પાઠથી ફલિત થાય છે.
(B) (શ્રાદ્ધવિધિ ગ્રંથમાં પણ ઉછામણી દ્વારા દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાનું વિધાન કર્યું છે. તે નીચે મુજબ છે.