Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૭ : કલ્પિત દેવદ્રવ્ય વિચારણા-સમીક્ષા
૧૯૭
સં. ૨૦૦૮, ઈ.સ. ૧૯૫૧, પૃષ્ઠ-૨૮ ઉપર નીચે મુજબ અર્થ છે-) ઋદ્ધિ યુક્ત અને સહિત એવા શ્રાવકોએ અથવા પોતાના આત્મા વડે એ પોતે શ્રીજિનેન્દ્રભક્તિને માટે જે આચરેલું હોય તે સર્વ ઉપયોગ (જિનેન્દ્રના કાર્યમાં આવે એમ) જાણવું.”
(B) પુસ્તક : દેવદ્રવ્ય યાને ચૈત્યદ્રવ્ય’, લેખક : પૂ.આ.શ્રી સાગરાનંદ-સૂરીશ્વરજી.મ.સા., પૃ. ૩૩ ઉપર સંબોધપ્રકરણના ત્રણ પ્રકારના દેવદ્રવ્યની ગાથાનો ભાવાર્થ)
" खुद हरिभद्रसूरिजी संबोधप्रकरण में फरमाते हैं कि आदान ( आवक ) आदि से आया द्रव्य जिनेश्वर महाराज के शरीर में ही लगाना और अक्षत फल बली वस्त्रादिक का द्रव्य जिनमंदिर के लिए लगाना और ऋद्धियुक्त सम्भवत ( अन्देशेवाले ) श्रावकोंने या अपने जिन भक्ति निमित्ति जो द्रव्य आचरित है वह मंदिर मूर्ति दोनों में लगाना इस लेख से समझना चाहिये कि जिनेश्वर महाराज की भक्ति के निमित्त होती हुई बोली का द्रव्य दूसरे किसी में भी नहीं लग सकता है ।"
(C) रिद्धिजुअ सम्मएहिं सड्डेहिं अहवा अप्पणा चेव । जिणभतीई निमित्तं जं चरियं सव्वमुवओगि ॥ ४ ॥ ( कथारत्नकोश श्री देवेन्द्रसूरिम . ) ધનાઢ્ય અને રાજમાન્ય શ્રાવકોએ અથવા તો ચૈત્યનિર્માપક શ્રાવકે પોતે જિન ભક્તિથી અમુક રકમ ચૈત્યના નિર્વાહ માટે કોષ રૂપે સ્થાપી હોય તો કલ્પિત અથવા ચરિત દ્રવ્ય કહેવાય છે. કલ્પિત દ્રવ્ય ચૈત્ય સંબંધી સર્વ કામોમાં ઉપયોગી થાય છે.
– પં. શ્રી કલ્યાણવિજયજીગણિ
(D) પં.શ્રી.કલ્યાણવિ.મ. એ “ચાલુ ચર્ચામાં સત્યાંશ કેટલો” એ પોતાના નિબંધમાં કલ્પિત દેવદ્રવ્યનો અર્થ નીચે મુજબ કર્યો છે -
“શ્રીમંત અને માન્ય (રાજા, મંત્રી વગેરે) શ્રાવકોએ અથવા પોતે (ચૈત્ય કરાવનારે) જિનભક્તિને માટે કલ્પીને જે દ્રવ્ય સંચિત કર્યું હોય તે