Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૧૯૨
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
બલ્કિ “શુદ્ધ કો અશુદ્ધ કરને વાલા પાઠ હૈ !” xxx શ્રીમાન ઉપાધ્યાયજી મહારાજ પ્રતિષ્ઠા કા પરિચય જાનતે હોતે તો યહ શુદ્ધિ-અશુદ્ધિ કા પ્રક્ષેપ નહીં કરતે !” (નિબંધ નિચય પૃ. ૮૭, ૮૮)
(૩) પં.શ્રી ચંદ્રશેખર વિ.મ.સા.ના પૂર્વોક્ત લખાણમાં “છતાં જો અન્ય ગીતાર્થે ભગવંતો અન્ય અભિપ્રાય ધરાવતા હોય અને એતાત્ત્વિક રીતે યોગ્ય જ હોય તો તેનો સ્વીકાર કરવો જોઈએ.” - આમ કહીને લેખકશ્રીએ પોતાના અભિપ્રાયને આડકતરી રીતે અતાત્ત્વિક જ કહ્યો છે. વાસ્તવમાં તો ગીતાર્થોએ સ્પષ્ટ શબ્દોમાં અભિપ્રાય આપવાનો હોય. તેના બદલે ગોળ ગોળ વાત કરવી એ લોકોને ગેરમાર્ગે દોરવાની અનુચિત પ્રવૃત્તિ જ
છે.
પ્રશ્નઃ બોલીની પ્રથા કયારથી શરૂ થઈ?
ઉત્તરઃ મહારાજા કુમારપાળના સંઘમાં કલિકાલસર્વજ્ઞ પૂ. આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં તીર્થમાળની બોલી બોલાયાનો ઉલ્લેખ મળે છે અને તે મંદિરના નિર્વાહ માટે નહિ પણ દેવદ્રવ્યની વૃદ્ધિ માટે જ બોલાઈ છે, કારણ કે, શાસ્ત્રોમાં દેવદ્રવ્યની વૃદ્ધિના પ્રસંગમાં એવું દષ્ટાંત અપાયું છે. એ જ રીતે મંત્રીશ્વર પેથડશાના ચરિત્રમાં પણ બોલીનો ઉલ્લેખ છે. એટલે બોલીઓની પ્રથા ત્યાર પહેલાંની હશે એમ સમજી શકાય છે. વળી આ બધા આચાર્ય ભગવંતો પરમ સુવિદિતો હતા પણ શિથિલાચારીઓ ન હતા. એટલે શિથિલાચારી અસુવિહિત પરંપરાને તેમણે અપનાવી હતી, એવું તેમના માટે બોલવામાં તો તેમની ભયંકર આશાતના છે. બોલીઓનું દ્રવ્ય મરજી પ્રમાણે લઈ જવા માટે હવે તો તેઓ બોલીઓ જ અશાસ્ત્રીય છે એવું પણ નિરૂપણ કરવા લાગ્યા છે, પરંતુ આ તો તેમનું એક મોટું દુસાહસ છે. ઉછામણી આદિ દ્વારા દેવદ્રવ્યવૃદ્ધિ પાચમું કર્તવ્ય (A) શ્રાવકે પ્રતિવર્ષ ૧૧ કર્તવ્યો કરવાના હોય છે. તે વાત