Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૧૦૮
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
અને તેમને ઉપદેશ આપનારા ગુરની ઉપદેશશૈલી કેવી હોય? કુતર્ક-૨ઃ
દેવદ્રવ્યથી જિનાલય નિર્માણ થાય તેવો પાઠ હોય તો જણાવો? જો તે ન હોય તો તેવા ઉપદેશો કેમ અપાય છે? સમાલોચના-૨ઃ
આ કુતર્કની સમાલોચના કરતાં પહેલાં તેની પૃષ્ઠભૂમિકા જોવી જરૂરી છે. કુતર્કકારનો કહેવાનો આશય એવો છે કે, “જેમ દેવદ્રવ્યથી જિનાલયનું નિર્માણ થાય તેવો પાઠ મળતો નથી અને છતાં પણ નિષેધ ન હોવાથી દેવદ્રવ્યથી જિનાલયનું નિર્માણ થાય તેવા ઉપદેશો અપાય છે. તે જ રીતે
શ્રાવક દેવદ્રવ્યથી જિનપૂજા કરી શકે એવા પાઠો ન મળતાં હોય, તો પણ “શ્રાવક દેવદ્રવ્યથી જિનપૂજા ન જ કરી શકે એવા પાઠો મળતા ન હોવાથી દેવદ્રવ્યથી જિનપૂજા કરવાનો ઉપદેશ આપવામાં શું વાંધો છે?” - આટલું સમજયા પછી હવે સમાલોચના કરીશું.
દેવદ્રવ્યથી જિનાલયનું નિર્માણ થાય એવા શાસ્ત્ર સંદર્ભો વિદ્યમાન છે. તે નીચે મુજબ છે
(૧) શાસ્ત્રોમાં જિનમૂર્તિ-જિનમંદિર વગેરે સાતક્ષેત્રો બતાવ્યા છે અને ‘તેતે ક્ષેત્રની આવકને તે ક્ષેત્રમાં વાપરવા માટે જણાવ્યું છે. તદુપરાંત, એ પણ જણાવ્યું છે કે, ઉપરના ખાતાની રકમ નીચેના ખાતામાં ન વપરાય, પરંતુ નીચેના ખાતાની રકમ ઉપરના ખાતામાં વાપરી શકાય છે. તથા સાતક્ષેત્રોની રકમનો સદુપયોગ બતાવ્યો ત્યારે શ્રીજિનમૂર્તિ-જિનમંદિર ક્ષેત્રની રકમ, કે જે દેવદ્રવ્ય તરીકે પ્રસિદ્ધ છે, તેનાથી શ્રીજિનાલયનો જીર્ણોદ્ધાર અને નૂતન જિનમંદિર બનાવવાનું જણાવ્યું છે.
(૨) ૧૯૯૦ના શ્રમણ સંમેલનના ઠરાવ-૫ માં પણ દેવદ્રવ્યનો વ્યય જિનાલય નિર્માણ-જીર્ણોદ્ધારાદિમાં જણાવ્યો જ છે.
(૩) દ્રવ્યસપ્તતિકા ગ્રંથની અવચૂરિ પુ. ૧૦૭ ઉપર કહ્યું છે કે