Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૪ઃ શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ?
૧૩૯ જગતમાં નથી એમ માનીને કર્મનો નિષેધ માન્યો. ભગવાન મહાવીર પરમાત્માએ
જ્યારે તેમને સમજાવ્યું કે “પુષ પવ..." માં પ્રવ-કાર એ આત્માની પ્રધાનતા બતાવવા માટે છે, બીજા પદાર્થોના નિષેધ માટે નથી કેમ કે, બીજા પદાર્થોની સત્તાને બતાવનાર બીજા વેદ વાક્યો છે. અગ્નિભૂતિ પરમાત્માની વાત સમજી ગયા અને કર્મના નિષેધની પોતાની માન્યતાને છોડી દીધી.
આવી જ રીતે અહીં “વકીલ પૂષા વા' વગેરે પાઠો વ્યક્તિને ઉદ્દેશીને જિનપૂજાનું મહત્ત્વ બતાવવા માટેના છે. વ્યક્તિને આ રીતે ઉપદેશ શી રીતે ઉચિત ગણાય?
સમાલોચના:
(૧) 'કાર = “જ'કાર ક્યાં વ્યવચ્છેદક (અન્યનો વ્યવચ્છેદ કરનાર) બને છે અને ક્યાં પ્રધાનતા'નો ઘાતક બને છે, તે ખુલાસો કર્યા વિના જે વાતો પૂર્વોક્ત પ્રશ્નોત્તરમાં લેખકશ્રી દ્વારા કરવામાં આવી છે, તેમાં શું ઇરાદો છે, તે સ્પષ્ટપણે સમજી શકાય છે.
(૨) “રેવ દે તેવપૂગાપિ વચ્ચેવ યથાશ િવ ” – આ શાસ્ત્રવચનમાં સ્વદ્રવ્યની સાથે જોડાયેલા “વ' = “જ કારને પુરુષ પર્વ આ વેદવાક્યોમાંના ‘' = “જ' કાર સાથે સરખાવીને ભવ્યાત્માઓને ગેરમાર્ગે દોરવાનું કુકૃત્ય કર્યું છે. “પુરુષ પવેમાં જણાવેલા “á' કારને પ્રધાનતાના અર્થમાં ગ્રહણ કરવો જરૂરી છે. કારણ કે, જગતમાં આત્મા સિવાય બીજા પદાર્થો વિદ્યમાન છે જ. અર્થાત્ કર્મ આદિ બીજા પદાર્થોનું
અસ્તિત્વ અનુભવાય જ છે. સંસારની વિષમતાનું દર્શન જ કર્મનું અસ્તિત્વ સિદ્ધ કરે છે. આથી કર્મ વગેરે પદાર્થોનો વ્યવચ્છેદ એ વેદવાક્યથી થઈ શકે તેમ નથી અને તેમ કરવામાં આવે તો વેદ અને અનુભવ બંને સાથે વિરોધ આવે છે. એ વિરોધ ન આવે એ માટે ત્યાં વ’ કાર પ્રધાનતાના અર્થમાં વપરાયો છે એમ કહી શકાય.
પરંતુ પૂર્વોક્ત શ્રાદ્ધવિધિના પાઠમાં “સ્વદ્રવ્ય” પછી મૂકાયેલો “વિ' = “જ' કાર તો વ્યવચ્છેદક જ છે. તે “જ” કાર પરદ્રવ્ય અને દેવદ્રવ્યથી