Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
પ્રકરણ - ૫ : ઉપદેશપદાદિ ગ્રંથોના દેવદ્રવ્ય અંગેના પાઠોનું રહસ્ય
દેવદ્રવ્યથી થઈ શકતાં હોય, તો સંઘોમાં દેરાસરના દેવદ્રવ્યમાંથી બનેલા ત્રિગડા આદિ ઉપકરણોનો એ કાર્યોમાં ઉપયોગ કરવાનો નકો શા માટે ભરવાનું જણાવાય છે ? અને એ દેવદ્રવ્યના ઉપકરણોનો ઉપયોગ કરીને ઓછો નકરો ભરનારી લક્ષ્મીવતી શ્રાવિકાને ભયંકર વિપાકો કેમ ભોગવવા પડ્યા હતા ? તે જણાવશો ?
૧૭૧
હવે બીજા પાઠો અંગે વિચારીશું - (G) દર્શનશુદ્ધિનો પાઠ -
'तथा तेन पूजा - महोत्सवादिषु श्रावकैः क्रियमाणेषु ज्ञान-दर्शनચારિત્ર-મુળાશ્ચ રીબન્ને ।' (પૃ. ૨૫૨)
અર્થ : તથા તેનાથી (દેવદ્રવ્યથી) શ્રાવકો પૂજા-મહોત્સવ વગેરે કરતા હોય તો જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણો દીપી ઊઠે છે.
-
સ્પષ્ટીકરણ ઃ- ‘દર્શનશુદ્ધિ’ના ઉપરના પાઠથી પણ એ જ સિદ્ધ થાય છે કે, દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં અને તેની અવસૂરિમાં જણાવ્યા મુજબ સંકલ્પપૂર્વક – અવધારણા પૂર્વક ભગવાનની ભક્તિ માટે અલગ રાખેલા કે શ્રીસંઘને આપેલા દ્રવ્યથી (કે જે શ્રાવકોનું સ્વદ્રવ્ય હોવા છતાં ભગવાનની = દેવની ભક્તિનો સંકલ્પ હોવાથી દેવદ્રવ્ય બને છે, તેવા દેવદ્રવ્યથી) શ્રાવકો મહોત્સવ કરે તો તેમના જ્ઞાન-દર્શનાદિ ગુણો દીપી ઉઠે છે અને જ્ઞાન-દર્શનાદિ ગુણોને ખીલવવા શ્રાવકો એવા પ્રકારના દ્રવ્યથી મહોત્સવો આદિ કરે, તે તેમના માટે વિહિત જ છે. સંઘોમાં આજે પણ ચાતુર્માસિક આરાધનાઓની અનુમોદનાર્થે કે પોતાના ઉપકારી ગુરુવર્યના સંયમજીવનની અનુમોદનાર્થે કે તપના ઉદ્યાપન નિમિત્તે - એવા નિમિત્તોએ શ્રાવકો સ્વતંત્ર રીતે કે ભેગા મળીને પ્રભુભક્તિનો મહોત્સવ કરતા હોય છે. એમાં શ્રાવકો સ્વદ્રવ્યને જોડે છે. પરંતુ સંઘના શુદ્ધદેવદ્રવ્યથી કરતા નથી. એ મહોત્સવો શ્રાવકોના સ્વદ્રવ્યથી જ થાય