Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૧૭૦
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા (૪) જો દેવદ્રવ્ય સામાન્યમાં પ્રભુસમક્ષ મૂકેલા ભંડારની આવકને ગણો
છો, તો પછી ધાર્મિક વહીવટ વિચાર” પુસ્તકની (પહેલી સિવાયની તમામ) આવૃત્તિઓમાં ભંડારની આવકનો કોઈપણ
પ્રકારના દેવદ્રવ્યમાં સમાવેશ કેમ કર્યો નથી? (૫) તે જ રીતે ગચ્છાધિપતિશ્રીજી આદિ ચાર લેખકો દ્વારા લિખિત
“ધર્મદ્રવ્ય વ્યવસ્થા આ રીતે થાય તથા દેવદ્રવ્યના શાસ્ત્રપાઠો” – આ પુસ્તકમાં પણ તે ભંડારની આવકનો સમાવેશ કોઈપણ પ્રકારના દેવદ્રવ્યમાં કેમ કર્યો નથી? તદુપરાંત, તે જ રીતે, મુક્તિદૂત, જુલાઈ-૨૦૧૩ના અંકમાં અને તે પક્ષદ્વારા પ્રચારાતા અન્ય સાહિત્યમાં પણ ભંડારની આવક માટે કેમ મૌન રાખવામાં આવ્યું
છે? (૬) વિ.સં. ૧૯૭૬, ૧૯૯૦, ૨૦૧૪ના શ્રમણ સંમેલનના
ઠરાવોના સૂત્રધાર મહાત્માઓ ગીતાર્થ હતા, ઉપદેશપદ આદિ ગ્રંથોના જ્ઞાતા હતા. છતાં પણ તેઓશ્રીઓએ શા માટે
દેવદ્રવ્યમાંથી મહાપૂજાદિ કાર્યો કરવાની રજા આપી નહોતી? (૭) તમારા વર્ગના સં. ૨૦૪૪ પૂર્વે પ્રકાશિત થયેલા ધાર્મિક વહીવટ
વિચાર'ના લેખકશ્રી વગેરેના અન્ય પુસ્તકોમાં શુદ્ધદેવદ્રવ્યના સદુપયોગમાં મહાપૂજા-સ્નાત્રાદિ-પૂજારીને પગાર-પૂજાની કેસરાદિ સામગ્રી વગેરેનો સમાવેશ શા માટે કર્યો નહોતો? એ વખતે પણ ધર્મસંગ્રહ-ઉપદેશપદાદિ ગ્રંથોના તો તેઓ જ્ઞાતા કહેવાતા હતા
ને?
(૮) તમારો પક્ષ (શુદ્ધદેવદ્રવ્યમાં સમાવેશ પામતી) પ્રભુભક્તિ સ્વરૂપે
બોલાતી ઉછામણીની આવકને સં. ૨૦૪૪ પૂર્વે શુદ્ધ દેવદ્રવ્યમાં સમાવતા હતો, તો સં. ૨૦૪૪'થી એને કલ્પિત દેવદ્રવ્યમાં
સમાવવાનું ક્યા આધારે ઠરાવ્યું? (૯) જો જિનપૂજા-સ્નાત્ર-મહાપૂજા આદિ સર્વે પ્રભુભક્તિનાં કાર્યો