Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
૧૩૮
નીચેના કુતર્કોની પણ સમાલોચના થઈ ગયેલી જાણવી.
(૧) “જિનપૂજા કરવાની સામગ્રી બહારગામથી આવેલા જૈનોને બરોબર મળે તે માટે “જિનભક્તિ સાધારણ ભંડાર' મૂકીને તે પરદ્રવ્યથી તે લોકો જિનપૂજા કરી શકે અને તેમાં દોષ જણાતો ન હોય તો સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાનો એકાન્તે આગ્રહ શી રીતે રાખી શકાય ?
ધર્મદ્રવ્યની શાસ્ત્રીય વ્યવસ્થા
દ્રવ્યસપ્તતિકા ગ્રંથમાં ‘શ્રાવકોએ સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ’ એમ જે કહ્યું છે તે ઘરદેરાસરના માલિક શ્રાવક માટે કહેલું છે. ત્યાં તેનો જ વિષય આવે છે. તેમાં એમ કહ્યું છે કે, ‘ઘરદેહરાસરમાં મૂકેલા ચોખા, ફળ વગેરેથી સંઘ દેરાસરમાં તે શ્રાવક પૂજા કરી શકે નહિ. કેમ કે, તેમ કરવામાં લોકો દ્વારા તેને ખોટાં માનસન્માન મળી જવા સંભવ છે. (અહીં દેવદ્રવ્યથી પૂજા કરવાનો તેને દોષ લાગવાની તો વાત કરી જ નથી.) આવું ખોટું માન ન મળે તે માટે તેણે મોટા દેરાસરે સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ.’
આ રીતે તે પાઠ બરોબર જોવાશે તો ખ્યાલ આવી જશે કે સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવાનો તમામ શ્રાવક-શ્રાવિકાઓ માટે શાસ્ત્રકારોનો એકાન્તે આગ્રહ નથી.” (ધા.વ.વિ. પૃ. ૬)
-
તદુપરાંત, ‘ધાર્મિક વહીવટ વિચાર' પુસ્તકના સવાલ-૬૪ના ઉત્તરમાં જે કુતર્કો થયા છે તેની પણ સમાલોચના થઈ જ જાય છે.
→ ધા.વ.વિ.ના સવાલ-૬૫ના ઉત્તરમાં જે કુતર્કો થયા છે તેની સમાલોચના હવે કરીશું. સૌ પ્રથમ તે પ્રશ્ન અને ઉત્તર નીચે આપીએ છીએ.
સવાલ : (૬૫) તો પછી ‘સ્વદ્રવ્યેશૈવ પૂના વાર્યાં’ કહ્યું ત્યાં ડ્વ (જ) કારથી અન્યદ્રવ્યનો નિષેધ ન આવે ?
જવાબ ઃ પૂર્વે જણાવેલ છે તેમ આ પાઠ ઘરમંદિરના માલિક માટે છે, આમ છતાં અનેક ઠેકાણે સ્વદ્રવ્યથી જ પૂજા કરવાના ઉપદેશ અપાય છે, પણ ત્યાં કયો શબ્દ કયા આશયથી વપરાયેલ છે તેને સમજવું જોઈએ. ડ્વ (જ)કાર ક્યાંક વિચ્છેદ માટે હોય છે, ક્યાંક પ્રધાનતા બતાવવા માટે હોય છે. ગણધ૨વાદમાં બીજા ગણધર અગ્નિભૂતિના અધિકારમાં અગ્નિભૂતિને ‘પુરૂષ વે...'' વગેરે આ વેદવાક્ય મળ્યું તેથી તેમને પુરુષ એટલે આત્મા જ આ જગતમાં છે તે સિવાય બીજું કંઈ જ આ